શુક્રવાર, 13 મે, 2016

Prerak vato @

(1)પાણીનો દુષ્કાળ એક વષઁને
અસર કરે
પરંતુ સંસ્કાર નો દુષ્કાળ
આખી પેઢીને અસર કરેછે..🍂

(2)"વા" થી માત્ર શરીરનુ
 એક અંગ પકડાય છે.
"પરણ-વા"  થી માણસ
 આખો પકડાઈ જાય છે..🍂😜

(3)સંપત્તિ હોય એટલે સંસ્કાર
આવી જાય એવું નથી,,
લંકા આખી સોનાની હતી
       પરંતુ...મોત આવ્યું
      છતાં સંસ્કાર ન આવ્યા.

સંપત્તિ પ્રયત્ન વગર
અને રાતોરાત આવી શકે...
બાકી સંસ્કાર અને સમજણને
           આવતાં તો....
પેઢીઓ લાગે છે.........!!!!

(4)ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.
પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.
દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!
સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.
ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!
વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.


(5)ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે,

દવાની ગઈ અસર ત્યારે દુઆ એ લાજ રાખી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો