શનિવાર, 27 ઑગસ્ટ, 2016

મોબાઇલ રેડિયેશનની શરીર પર થતી અસર વિશે જાણો


મોબાઇલ રેડિયેશન અંગે સાત વર્ષથી અભ્યાસ કરી રહેલા નર્મદ યુનિવર્સિટીના પ્રો. પંકજ ગઢિયાના તારણ મુજબ મોબાઇલ વાપરનારાં બાળકોને કેન્સર થવાની શક્યતા આમ વ્યક્તિ કરતાં પાંચગણી છે. દેશ અને રાજ્યની સામે સુરત માટે આશ્ચર્યની વાત એ છે કે અહીં માથાં કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધારે છે. માંડ ૪૫ લાખની વસતીમાં મોબાઇલ ફોનની સંખ્યા ૫૦ લાખથી વધુ છે, જેમાં ૨૦ વર્ષથી ઓછી વયના ઉપયોગકર્તાઓ પણ ખાસ્સા છે.

મોબાઇલના રેડિયેશન આરોગ્યને નુકસાન કરે છે તે હવે સરકારે પણ કબૂલવું પડ્યું છે પરંતુ હજુ પણ તેની લાંબા ગાળાની અસર અંગે અભ્યાસ કરવાનું સૂચવ્યું છે.

જો કે, નિષ્ણાતો કહે છે છેલ્લાં દસ વર્ષમાં મોબાઇલની સંખ્યા જે વધી છે તેને કારણે લાંબા ગાળે કેન્સર થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને બાળકોને તેનાથી બચાવવાની વધુ જરૂરિયાત છે કારણ કે તેમને સૌથી વધુ અસર થાય છે.

કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય આંતર મંત્રી મંડલીય સમિતિએ તાજેતરમાં જ મોબાઇલ ફોનના રેડિયેશન આરોગ્ય માટે ખતરનાક બતાવી રેડિયેશનથી લાંબે ગાળે શું અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિક અભ્યાસ માટેનું સૂચન કર્યુ છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ભારતમાં લાંબાગાળાના અભ્યાસ નથી થયા પરંતુ વિદેશોમાં થયેલા અભ્યાસો બતાવે છે કે મોબાઇલથી લાંબે ગાળે કેન્સર થવાની શક્યતા છે.
જુદા જુદા અભ્યાસનું તારણ
નર્વસ સિસ્ટમનું કેન્સર શક્ય
છેલ્લાં સાત વર્ષથી મોબાઇલના રેડિયેશન પર સતત અભ્યાસ કરી રહેલા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગના વડા ડૉ. પંકજ ગઢિયા કહે છે કે બાળકો અને કિશોરો જો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા થઈ જાય તો તેમને કેન્સર થવાની શક્યતા પાંચગણી વધી જાય છે.

ડૉ. ગઢિયાએ જણાવ્યું હતું કે સ્વીડનમાં થયેલો એક બહોળો અભ્યાસ બતાવે છે કે જે લોકો ૨૦ વર્ષથી ઓછી ઉંમરે ફોનનો ઉપયોગ કરતા થઈ જાય છે તેમને ગ્લિયોમા (નર્વસ સિસ્ટમનું કેન્સર) થવાની શક્યતા પાંચગણી વધી જાય છે. તે પાછળનું કારણ એ છે કે તેમના બ્રેઇન અને નર્વસ સિસ્ટમ કૂમળા હોવાથી રેડિયેશન અંદર સુધી પેસી જાય છે.
મોબાઇલની વધતી સંખ્યા
દુનિયામાં સૌથી ઝડપી વિકાસ
મોબાઇલ ફોનનો ખતરો વધી જવાનું કારણ તેની સંખ્યામાં અધધ વધારો પણ છે. ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું વાયરલેસ કોમ્યુનિકેશનનું માર્કેટ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીના આંકડા પ્રમાણે વર્ષ ૨૦૦૧માં દેશમાં મોબાઇલ ફોનની સંખ્યા જ્યાં લગભગ ૫૦ લાખ હતી તે નવેમ્બર ૨૦૧૦ સુધીમાં વધીને તે ૭૨ કરોડની આસપાસ પહોંચી ગઈ હતી.

ભારતમાં સરકાર હવે જાગી છે. યુરોપિયન પાલૉમેન્ટે તો યુરોપમાં મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન અને વાઈફાઈ સહિતના અન્ય રેડિયેશન બહાર પાડતાં સાધનોથી બાળકોને બચાવવા માટે કડક ધારાધોરણો નક્કી કરવાનો ઠરાવ છેક ૨૦૦૮માં કર્યો હતો.
ઓછા ખર્ચે વધુ વાત
૧૩ વર્ષમાં ચાર્જ ૧૩મા ભાગનો
મોબાઇલ ટેકનોલોજિસ્ટ દીપેન જગીવાલા કહે છે કે સુરતની જ વાત કરીએ તો વર્ષ ૨૦૦૪માં અહીં લગભગ ૪.૪૦ લાખ મોબાઇલ ફોન હતા તે હવે ૫૦ લાખથી પણ વધુ થયા હોવાનો અંદાજ છે. મોબાઇલ ફોન તો વધ્યા જ છે તેની સાથે ટોકટાઇમના દરો ઘટવાના કારણે તેનો વપરાશનો સમય પણ વધ્યો છે.

વર્ષ ૧૯૯૮માં આઉટગોઇંગનો દર R ૬.૫૦ હતો તે ઘટીને ૨૦૧૧માં માત્ર ૫૦ પૈસા રહી ગયો છે. આમ લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ વધારે કરતો હોવાને કારણે તેઓ રેડિયેશન સામે પણ વધુ સમય સુધી રહે છે. હવે એક સામાન્ય ઘરમાં સરેરાશ ચારથી પાંચ મોબાઇલ તો રણકતા જ હોય છે.

સુરતમાં થયેલા ૨ અભ્યાસોમાં ૧૨ સમસ્યાઓ જોવા મળી

માથાનો દુખાવો ઊંઘની સમસ્યાથાકઆળસ ટેન્શન ચામડીમાં બળતરાઊલટી આવવી ઊબકા આવવા લોહીનું ઊંચું દબાણ એકાગ્રતા પર અસર સ્મૃતિ પર અસર

(આ અભ્યાસ જુદા જુદા વિસ્તારમાં મોબાઇલ ટાવર નજીક રહેતા ૧૦થી ૮૦ વર્ષની ઉંમરના ૧૦૫ લોકો ઉપર કરાયો હતો જેમાં ૪૯ પુરુષ અને ૫૬ મહિલાઓ લેવાઈ હતી. ઉપરાંત કોલેજ જતા અને મોબાઇલનો ઉપયોગ કરતા ૧૧૧ વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા અભ્યાસમાં પણ આવી અસરો જોવા મળી હતી.)
દેશમાં ૧૨૫ કરોડની વસતી સામે મોબાઇલ ૭૨ કરોડ
રાજ્યમાં ૫.૫ કરોડની વસતી સામે મોબાઇલ ૩.૫ કરોડ
સુરતમાં ૪૫ લાખની વસતી સામે મોબાઇલ ૫૦ લાખ!

મોબાઇલ રેડિયેશનની


દિન-પ્રતિદિન ટેલિકોમ્યુનિકેશન સુવિધામાં વધારો કરવા ગુજરાતભરના શહેર-ગામડાઓમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ હરીફાઇ વચ્ચે ભયજનક રીતે ટાવરોની સંખ્યા વધી રહી છે, ચિંતાની વાત છે કે, કેન્દ્ર સરકારની રેડિયેશન અને પાવર ટ્રાન્સમશિન નોમિનલ વેલ્યુની હળવી નીતિના લીધે હાલ દરેક જગ્યાએ રહેણાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરો સ્થપાઇ ગયા છે, જેમાં મોટા ભાગના ટાવરો શરીરને નુકસાન કરતા વિકિરણો ફેંકી રહેણાક વિસ્તારમાં જાણે બિલ્ડિંગના મુગટ સમા મોતના મિનારા બની ઊભા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારત સરકારને સુપરત કરાયેલા અહેવાલ મુજબ સામાન્યત: Gફઝ ૯૦૦ બેન્ડ ૯૩૫-૯૬૦ ઝોz ફ્રિકવન્સી પર મોબાઇલ અને ટાવર વચ્ચે થતાં ધ્વનિતરંગોની આપ-લેમાં વધુમાં વધુ ૧-૧.૯૩ ા/ઝ૨ સુધીનો પાવર નોમિનલ છે, ત્યારે ભયજનક બાબત છે કે, હાલ રાજ્યભરમાં સારામાં સારી ઇન્ટરનેટ અને ફોન કોલ સક્ષમ ગુણવત્તા આપવાના બહાને હજારો મોબાઇલ ટાવર એટલે કે મોતના મિનારાઓ નક્કી કરેલી ક્ષમતાથી બમણો પાવર એટલે કે ા/ઝ૨ પાવર ટ્રાન્સ-રિસીવ કરી શરીરમાં યમદૂતોનો સંદેશો લઇ ઘૂસી રહ્યા છે તેમ કચ્છમાં ટાવરોનો કોન્ટ્રાકટ ધરાવતા ઇજનેરે ‘ભાસ્કર’ને જણાવ્યું હતું. જી હા !
.

કેન્‍દ્ર સરકારે એક માર્ગદર્શિકા થકી તમામ રાજયો, મોબાઇલ સેવા આપની કંપનીઓ અને દુરસંચાર વિભાગની ટર્મ સેલ માટે કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ દિશાનિર્દેશોમાં રેડિએશન રોકવા માટેની કોઇ વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી નથી. સરકારે ટેલિકોમ કંપનીઓના હિતોને ધ્‍યાનમાં રાખવા રાજ્ય સરકારોને જ જરૂરી પગલા લેવા સૂચવ્યું છે.
મોબાઇલ ટાવરથી નીકળતા ખતરનાક રેડિએશન પરની તમામ ચિંતાઓને બાજુએ રાખીને ભારત સરકારે ઓપરેટરોના હિતની વ્યવસ્થા ઉભી કરી છે. સરકારે 3જી અને 4જી કનેકશનો માટે મોબાઇલ ટાવરોના રેડિએશનની સીમા બમણાથી વધુ કરવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન સમયમાં દેશમાં 450 મિલિવોટ પ્રતિ વર્ગ મીટરની રેડીએશન સીમા છે. જે 3જી તથા 4જી ટાવરો માટે વધારીને 1000 મિલિવોટ પ્રતિ વર્ગમીટર કરી દેવામાં આવી છે. નવી સીમા પહેલી ઓગષ્ટથી અમલી બની ચૂકી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આમ થવાથી હવે દેશભરમાં રેડિએશન વધશે કારણ કે હવે 3જી અને 4જી ઉપર જ ભાર રાખવામાં આવશે.
નવી ગાઇડલાઇનમાં ટાવર સાથે જોડાયેલી જનતાની સમસ્‍યાઓ એક રાજય સ્‍તરીય સમિતી ઉપર છોડી દેવામાં આવી છે. સમિતીમાં રાજયના વહીવટી અધિકારી, ટર્મ સેલ, ગણમાન્‍ય નાગરિકો અને ઓપરેટરના પ્રતિનિધિઓ સામેલ હશે. જીલ્લા સ્‍તરે પણ એક સમિટી બનાવવામાં આવશે. જેમાં પણ ઓપરેટરના પ્રતિનિધિ હશે. સૂત્રો જણાવે છે કે નવી ગાઇડલાઇનમાં લોકોની ચિંતાને અવગણવામાં આવી છે. મોબાઇલ ટાવર રેડિએશનથી કેન્‍સર સહિતના રોગો થઇ શકે છે.

મોબાઇલ ફોનની શરીર ઊપર થતી અસર


મોબાઇલ ફોનનું રેડિયેશન ...............................
|| ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન મનુષ્ય શરીર ઉપર કઇ રીતે અસર કરે છે? ||
- મોબાઇલ ફોનનું રેડિયેશન મગજનાં જે ભાગમાં ઉંડે સુધી ઉતરે છે, તે ભાગ ટૂંકાગાળાની યાદશક્તિ સાથે સંકળાયેલા છે. તેની સામેની બાજુનું મગજ હૃદયની ક્રિયાઓ અને બ્લડ પ્રેસર ઉપર નિયંત્રણ રાખે છે. રેડિયેશનથી આ ભાગને નુકસાન પહોચે છે.
- જુન ૧૯૯૮નું 'લાન્સેટ'મેગેજીન કહે છે કે રેડિયેશનથી બ્લડપ્રેસર ૫-૧૦સસ લ્લ૯ વધી જાય છે. જે સ્ટ્રોક કે હાર્ટ એટેકનાં રિસ્કવાળા માટે ૧૦૦ ટકા જોખમી બની શકે છે.
- મોબાઇલ ફોન વાપરનારા અને મોબાઇલ ફોન ટાવર પાસે રહેનારાઓમાં હવે લાંબાગાળે કેન્સરની અસર દેખાવી શરૃ થઇ છે.
- રેડિયેશનનું પ્રમાણ ઓછું હોય તેવાં કિસ્સામાં તેની બાળકો અને માંદા માણસો ઉપર વિપરીત અસર થયેલ જોવા મળી છે.
- અમેરિકન મેડિકલ એસોસીએશનનું જર્નલ દર્શાવે છે કે રેડિયેશનનાં કારણે કોષોમાં રહેલ ગ્લુકોઝની ચયાપચયની પ્રક્રિયા અને મગજના કોષોની સામાન્ય કાર્યવાહીને નુકસાન પહોચે છે.
- જો મોબાઇલ ફોનનું રેડિયેશન, ૫૦ મીટર જેટલું મગજને મળતું રહે તો, મગજની ક્રિયાશીલતાને અસર થાય છે. મગજનાં કોષોમાં ગ્લુકોઝનો ભરાવો થાય છે.
- વૈજ્ઞાાનિક તારણ કહે છે કે બ્રેઇન સેલના ડિએનએ ડેમેજની વ્યાપક અસરો જોવા મળતાં લગભગ ૩૦ વર્ષનો સમય લાગી શકે છે.
- મનુષ્ય કોષોની ઘશછ ડેમેજ દૂર કરવાની પ્રક્રિયા ઘટી જાય તો બેઇન કેન્સર થવાની શક્યતા બમણી થઇ જાય છે.
- શરૃઆતથી જ મગજનાં કોષોનાં ઘશછને નુકશાન થાય તો, (બાળકોમાં ખાસ) મગજનું કેન્સર થવાની શક્યતા ૨૫ ગણી વધી જાય છે.
- મગજનાં કેન્સર ઉપરાંત મોબાઇલ રેડિયેશન એકોસ્ટીક ન્યુરોમાં, લાળગ્રંથીની ગાંઠ, આંખ અને વૃષણકોથળીનું કેન્સર પણ પેદા કરી શકે છે.
- ૧૯૯૫નાં 'બાયોઇલેક્ટ્રો મેગ્નેટીક્સ' જર્નલમાં હેનરીલાઇ અને નરેન્દ્ર પી.સીંગ જણાવે છે કે ''અમેરિકન સરકાર જેને સલામત ગણે છે તેવાં માઇક્રોવેવ રેડિયેશન માત્ર બે કલાકમાં જ કોષમાં રહેલ ઘશછને નુકસાન પહોચાડે છે.''
- પ્રયોગશાળામાં રાખેલ કોષોમાં ૦.૩૦ થી ૨.૦ વોટ/કી.ગ્રા. રેડિયેશનની અસરથી ઘશછ ડેમેજ થાય છે અને કોષ વિભાજનની પ્રક્રિયા ખુબ જ ઝડપી બને છે. (જો તે નિયંત્રણમાં ન રહે તો કેન્સર થયું ગણાય.)
- એક અભ્યાસ પ્રમાણે દરરોજ મગજ ત્રણ કલાક મોબાઇલનાં સંપર્કમાં રાખવાથી માત્ર આઠ મહિનામાં મગજમાં રહેલ ૧૪૩ પ્રકારનાં પ્રોટીનને નેગેટીવ અસર થાય છે.


|| મોબાઇલ ફોન અને બાળકો ||
પ્રયોગોમાં જોવા મળ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળકોનાં શરીર ઉપર મોબાઇલ ફોન રેડિયેશનની સૌથી વધારે અસર પડે છે. સિડર-સિનાઇ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડૉ.કેથ બ્લેક કહે છે કે ''બાળકોના શરીરમાં વૃદ્ધિ કરવા માટે કોષ વિભાજન ખુબ જ ઝડપથી થાય છે. કોષ વિભાજન સમયે મળતું રેડિયેશન કોષોને નુકસાન પહોચાડી શકે છે.'' બાળકોની ખોપરીની જાડાઇ ઓછી હોવાથી રેડીયેશન મગજનાં મધ્યભાગ સુધી પહોચી શકે છે.રેડિયેશનનાં સતત સંપર્કથી કોષોનું તાપમાન વધે છે. તાપમાનનો વધારો પ્રોટીન બંધારણને નુકસાન પહોચાડી શકે છે. રેડિયેશનનાં કારણે કોષ વિભાજનની પ્રક્રિયા પણ ઝડપી બને છે. ઉંદર ઉપરનાં પ્રયોગોમાં જોવા મળ્યું છે કે સતત રેડિયેશનનાં સંપર્કમાં રહેતા ઉંદરનાં મગજનાં કોષોમાં પ્રોટીન છુટંુ પડીને જમા થવા લાગે છે. શરૃઆતથી જ બાળકોનાં કોષોમાં રહેલ ડિએનએ ડેમેજ થવા લાગે તો ૨૦/૩૦ વર્ષના સમયગાળા બાદ, તેની ગંભીર અસરો જોવા મળી શકે. બાર વર્ષથી નીચેના બાળકોને મોબાઇલ ફોન આપવો ખુબ જ જોખમી ગણાય.
|| મોબાઇલ રેડિયેશનથી બચવા શુ કરશો ? ||
- મોબાઇલ ઉપર ટૂંકી અને જરૃર પુરતી વાત કરો.
- મોબાઇલ ફોનને કાનથી લગભગ અડધો ઇંચ દૂર રાખો. લાંબી વાત કરો તો, કાન બદલતા રહો.
- જ્યારે મોબાઇલ સીગ્નલ 'વિક'હોય ત્યારે વાત ન કરો. વિક સીગ્નલ વખતે ફોન વધારે રેડિયો ફ્રિકવન્સી રીલીઝ કરે છે.
- ફોનનું એન્ટેના શરીરથી દૂર રાખો. કી પેડનાં પાછળના ભાગમાંથી ફોન ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ રચે છે. ગજવામાં ફોન મૂકો ત્યારે કી.પેડ વાળો ભાગ શરીર બાજુ રાખો.
- 'પ્રાઇવસી' પ્રોબ્લેમ ન હોય તો ફોનને 'સ્પીકર' પર રાખી દૂરથી વાત કરો.
- મોબાઇલ દૂર રાખી, હેન્ડસફ્રી હેડફોન, ઇયરપ્લગ ભરાવીને વાત કરો.
- બાળકોને મોબાઇલ ફોન ઉપર વાત ન કરવા દો. તેમને મોબાઇલ ફોનથી દૂર રાખો.
- ઘરે કે ઓફીસમાં હો ત્યારે લેન્ડલાઇન ફોનથી વાત કરવાનું જ પસંદ કરો.
- મોબાઇલ ફોનને તમારા ખીસ્સામાં ન રાખતાં, બેગ અથવા પર્સમાં રાખવાની ટેવ પાડો.
- એક જ રૃમમાં બેઠેલી વ્યક્તિઓએ એક સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવી જોઇએ નહી.
- એર્ક્સટનલ એન્ટેના લગાવેલું ન હોય તો, કારમાં મોબાઇલ ફોન વાપરવો જોઇએ નહી.
- તમારા કરતાં અન્ય વ્યક્તિ મોબાઇલ ફોન રેડિયેશન પ્રત્યે વધારે સેન્સેટીવ હોઇ શકે છે. જાહેર સ્થળો, અને પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં મોબાઇલ ફોન બંધ રાખી અન્યનાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકાય.
|| મોબાઇલ ફોન મગજને 'મકાઇ ડોડા' માફક શેકી રહ્યો છે !! ||
મોબાઇલ ફોન કહો કે સેલફોન. ટેકનોલોજીની આ એવી શોધ છે કે ઇકોનોમી પીરામીડના બોટમ સુધી પહાંેચી ગઇ છે. ભિખારીથી માંડીને સંસાર, મોહ બધાનો ત્યાગ કરી ચુકનાર સન્યાસીનાં હાથ સુધી પહોચી ગયો છે. હાથમાં પકડીને ગમે ત્યાં લઇ જઇ શકાય તેવો હેન્ડ હેલ્ડ મોબાઇલ ફોન ૧૯૮૩માં શોધાયો અને ખરી લોકપ્રિયતા ૧૯૯૦ પછી પ્રાપ્ત થઇ. ૧૯૯૦માં વૈશ્વિક ધોરણે ૬૦ લાખ સેલફોન હતાં તે આજની તારીખે અબજની સંખ્યાએ પહોચી ગયા છે.
મોબાઇલ ફોનનાં ઐતિહાસિક પગલાં એનાથી વધારે ભુતકાળમાં જાય છે. જર્મનીમાં રેડિયોફોન એટલે આજનાં મોબાઇલ ફોનનાં પૂર્વજો ઉપર ૧૯૧૮થી સંશોધન શરૃ થયા હતા. ટ્રેનમાં મુસાફરી કરનારાં ફર્સ્ટ કલાસનાં પેસેન્જરને ટેલીફોન સેવા પૂરી પાડવા રેડિયો તરંગોનો ઉપયોગ કરી ફોન તૈયાર કરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટરનાં પૂર્વજો જેવા મેઇનફ્રેમ કોમ્પ્યુટર જેમ વિશાળકાય અને મોટા ઓરડામાં સમાવવા પડે તેવા હતા. બસ એજ રીતે રેડિયોફોન તોતીંગ અને વજનદાર હતા. એમ કહો કે એક છેડે વાયરલેસ ઉપકરણ દ્વારા બીજા છેડે આવેલ વાયરલેસ ઉપકરણ કે લેન્ડલાઇન ફોન ઉપર વાત કરી શકાતી હતી. કારમાં લઇને હરીફરી શકાય તેવો મોબાઇલ ફોન, બેલ સીસ્ટમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને પ્રથમ મોબાઇલ કોલ ૧૯૪૬માં કારમાંથી કરવામાં આવ્યો હતો.
૧૯૪૬માં જ શિકાગોની બેલ ટેલિફોન કંપનીએ વેક્યુમ ટયુબ, મેગ્નેટીક રિલે અને બીજા સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનીક્સ પૂરજાઓ વડે બનેલ કાર રેડિયોટેલિફોન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ ફોનનું વજન ૩૬ કિ.ગ્રા. જેટલું હોવાથી આખેઆખું ઇન્સ્ટ્રુમેન્ટ લઇને તે હરવું-ફરવું મુશ્કેલ થઇ પડે તેમ હતું. હાથમાં ઉચકી શકાય, સાથે લઇને હરીફરી શકાય તેવાં ખરા અર્થમાં મોબાઇલ ફોન બનાવવાનાં ખ્યાલ, સાયન્સ ફિક્શન ''સ્ટ્રાર ટ્રેક''જોઇને મોટોરોલા કંપનીના ઇલેક્ટ્રીક ઇજનેર માર્ટીન કુપરે જોયા હતા. પોતાના સાથીદાર જ્હોન એફ મિશેલ સાથે મળીને ૧૯૭૩માં દુનિયાનો પ્રથમ 'હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન' માર્ટીન કુપર અને જ્હોન મિશેલે શોધી કાઢ્યો હતો. જો કે હાથમાં ઉચકી શકાય તેવા આ ફોનનું વજન પણ એક કિલોગ્રામ જેટલું હતું. ૧૯૭૩ થી મોબાઇલ ફોનની ઉત્ક્રાંતિ શરૃ થઇ અને મોબાઇલ ફોન સંકોચાતા ગયા છે અને શક્તિશાળી બનતાં ગયા છે. સાથે સાથે એક સમસ્યાને જન્મ પણ આપ્યો છે, જેને કહે છે. ''મોબાઇલ રેડિયેશન.'' માઇક્રોવેવ ઓવેનમાં જે ''માઇક્રોવોસ

'' દ્વારા રસોઇની કાચી સામગ્રી રંધાઇ જાય છે. બસ એજ પ્રકારના માઇક

 મોબાઇલ રેડિયેશન ખતરનાક છે તેની પરોક્ષ સાબિતીઓ.||
- પ્રખ્યાત વિમા કંપની 'લોઇડ્સ' દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકોને, મોબાઇલફોનથી થતાં સ્વાસ્થ્યના નુકસાનને ભરપાઇ કરવાનાં પ્રોડકટ લાયાબીલીટી કવર આપવાની વાત ફગાવી દીધી છે.
- બ્રિટનની સરકારે સ્વીકાર્યું છે કે મોબાઇલ ફોનનાં ઉપયોગથી મગજની ક્રિયાઓને અસર થાય છે.
- હેલ્થ પ્રોડકટસ એજન્સીનાં ચેરમેન, સર વિલીયસ સ્ટુઅર્ટ આઠ વર્ષથી નાના બાળકો માટે મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે.
- મોબાઇલ ફોનનાં ટાવર કરતાં મોબાઇલ ફોન ૧૦૦૦થી ૧૦૦૦૦ ગણું વધારે રેડિયેશન પેદા કરે છે.
- બ્રિટનની કંપનીએ બાળકો માટે ડિઝાઇન કરેલાં ખાસ મોબાઇલને સરકારે રજુ કરેલ હેલ્થ રીપોર્ટ બાદ બજારમાંથી પાછા ખેંચી લીધા છે.
- જાણીતા વૈજ્ઞાાનિકોએ મોબાઇલ ફોનનાં ઉપયોગમાં ઘટાડો કરી નાખ્યો છે.
- મોબાઇલ ફોન વાપરનારને ઘણીવાર માથાનો દુખાવો, થાક, માથું ભારે લાગવું કે ગરમ થઇ ગયાનો અનુભવ થાય છે.
- ૧૯૯૫માં પ્રમુખ બીલ ક્લીન્ટને સ્કૂલ કે રહેણાંકનાં વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
|| મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન ||
મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ 8 પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે.
1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.
2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટુથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.
3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.
7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.
8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”
|| રેડિયેશન એટલે શું? ||
* જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
* રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે.,
* રેડિયેશનના બે પ્રકાર છે.
આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટરુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે
|| ઇલેકટ્રોમેગ્નેટીક રેડિયેશન શું છે ? તેની કેટલીક ખાસીયતો ||
રેડિયેશન એટલે શું ? સામાન્ય રીતે ઉર્જા જ્યારે તરંગરૃપે અથવા કણરૃપે એક સ્થળેથી બીજા સ્થાને ટ્રાવેલીંગ કરે છે. તેને રેડિયેશન કહે છે. જાણે-અજાણ્યેજ આપણાં આસપાસનાં પર્યાવરણમાં રેડિયેશન હાજર જ હોય છે. મોબાઇલ ફોન જે રેડિયોફ્રિકવન્સી ઉપર કામ કરે છે તે 'માઇક્રોવેવ'વર્ગમાં આવે છે. માઇક્રોવેવ ઓવનમાં પણ આ વર્ગની જ ફ્રિકવન્સી વપરાય છે. મોબાઇલ ફોનનાં રેડિયો તરંગો એક પ્રકારના વીજચુંબકીય તરંગો છે. તેથી આવા રેડિયેશનને ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન પણ કહે છે. મોબાઇલ ફોન, વાય-ફાઇ સીસ્ટમ, કોર્ડલેસ ફોન, વગેરે આ પ્રકારનું રેડિયેશન ફેલાવે છે.
જો રેડિયેશન કોષોમાં શોષાય, તેમાં રહેલ રેણુઓનાં રાસાયણીક બંધારણમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે અને તત્વો વચ્ચેના બોન્ડ તોડી નાખે તેવાં રેડિયેશનને ''આયોનાઇઝીંગ રેડિયેશન કહે છે.''
1. શરૃઆતનાં એનાલોગ મોબાઇલ ફોન, ૧.૩૦ વોટ પાવર વાપરતા હતા. આજના ડિજીટલ સેલ ફોન તેનાથી ઓછો (અડધો જ) ૦.૬૦ વોટ પાવર વાપરે છે. જેની સરખામણીમાં માઇક્રોવેવ ઓવનમાં ૬૦૦ થી ૧૧૦૦ વોટ પાવર વાપરવામાં આવે છે.
2. મોબાઇલ ફોન ૪ થી ૧૦ માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતાં ફોટોનનાં ઝુમખા જેટલી ઉર્જાથી સીગ્નલ મોકલે છે.
3. કોષમાં રહેલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અંદાજે ૧૦ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જરૃર પડે.
4. પાણીમાં રહેલા ઓક્સીજન-હાઇડ્રોજન બોન્ડ બનાવવા ૫.૨૦ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વપરાય છે. રેણુઓ વચ્ચેના બોન્ડ તોડવા માટે અંદાજે આનાથી વધારે ઉર્જાની જરૃર પડે છે.
5. ૨૦૧૧માં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (ૈંછઇભ) એ મોબાઇલ ફોનથી કેન્સર થવાની શક્યતા સ્વીકારીને તેને 'ગુ્રપ- ૨મ્' નામનાં ગુ્રપમાં સમાવેશ કર્યો છે. આ લીસ્ટમાં કેન્સર પેદા કરનાર પદાર્થની યાદી આપી છે.
6. માનવ શરીરનાં કોષો રેડિયેશન શોષે છે તેને 'સ્પેસીફીક એબ્સોર્બશન રેટ' (જીછઇ) વડે દર્શાવવામાં આવે છે જે પ્રતિગ્રામ-કીલોગ્રામ કદનાં કોષોનાં જથ્થાની સરખામણીમાં હોય છે. અમેરિકાના ફેડરલ કોમ્પ્યુનિકેશન કમિશને ૧.૬૦ ઉ/ ણય જીછઇને સલામત ગણાવ્યો છે. યુરોપમાં ૨ઉ/ ણયનો દર સલામત ગણવામાં આવે છે.
7. સતત રેડિયેશનનાં સમ્પર્કમાં આવતાં કોષોનું તાપમાન વધે છે.
Kanak Turakhia વિશ્વ જ્ઞાન
https://www.facebook.com/KANAK4088/?fref=n


બુધવાર, 24 ઑગસ્ટ, 2016

જન્માષ્ટમી પર્વ મહાત્મ્ય


ના જાપ જપ્યા, ના ધ્યાન ધર્યા

                                     ભલે તાલ મહી, બે તાલ સહી

ભલે  સૂર  મહી, બે સૂર  સહી

                                     હું  ગુંજન  કરતો  ભ્રમર  રહ્યો.

એ  ગુંજનમાં મેં  વેદ  ભણ્યા,

                                       એ કુંજનમાં  મને કૃષ્ણ  મળ્યા.


આખા શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી વિશેષ મહત્વ ધરાવે છે.આ તહેવાર ઉજવવા માટે લોકોના હૈયામાં અનેરો થનગનાટ જોવા મળે છે. બધાના મોઢે એક જ અવાજ સાંભળવા મળે છે. એ છે, “નંદ ઘેરા નંદ ભયો,જય કનૈયા લાલ કી”.દરેક શહેર અને ગામડાઓની શેરી ગલીઓ ગોકુળમય બની જાય છે. અવનવા શણગારો દ્વારા સમગ્ર વિસ્તારને શણગારવામાં આવે છે.આ દિવસે શહેરના વિવિધ સંગઠનો તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભેગા મળીને સમગ્ર શહેરમાં રથયાત્રા કાઢવામાં આવે છે. તેમજ આ રથયાત્રાનું ઠેર –ઠેર સ્વાગત કરવામાં આવે છે.આ રથયાત્રામાં અવનવા વિવિધ ડિઝાઇનના ફ્લોટસ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.



જન્માષ્ટમી પર્વ નિમિત્તે દરેક શહેરોમાં, દરેક મંદિરોમાં અને કેટલાક ઘરોમાં પણ વિવિધ તૈયારીઓ થતી હોય છે. જન્માષ્ટમી પર્વ અંતર્ગત શહેરમાં મટકીફોડ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ લોક ડાયરો, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. મંદિરોમાં રાત્રે ૧૨ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. ઠાકોરજીને પારણે ઝૂલાવવામાં આવે છે. અને હિંડોળા શણગારવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન માટે ભાવિક ભક્તોની મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે.અને ભક્તોનું હૃદય ગાવા લાગે છે :

રાજા રણછોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય.

મનના મોહન તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય.

પીળા પીતાંબર જરકસી જામાં

મુખ પર મોરલી લાગે રૂપાળા

પાઘડીમાં ખોસેલું ફૂમતુ રે કેમ ભૂલી જવાય !

રાજા રણછોડ તારી મૂર્તિ રે કેમ ભૂલી જવાય !

આમ, સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે હર્ષોલ્લાસથી ઉજવાતું પર્વ એટલે જ જન્માષ્ટમી.  શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમાં અવતાર હતા. વળી, તેમની જન્મની તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. આ દિવસે ઉપવાસનું ખાસ મહત્વ છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ, અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.

નંદઘેર આનંદ ભયો….જય કનૈયા લાલ કી….આ બે પંકિતઓ સાંભળતાની સાથે જ મનમાં એક અનોખો ભાવ થાય છે. સાથોસાથ એક દ્રશ્ય ખડુ થઇ જાય છે. શુ અગાઉના જમાનામાં અન્ય કોઇના ત્યાં બાળક જન્મ નહીં થયો હોય…શુ કોઇ બાળકનો જન્મોત્સવ ઉલ્લાસભેર મનાવાતો નહીં હોય….! હશે, પરંતુ અહીં વાત અલગ છે. આ ઉત્સવનો મર્મ જાજરમાન છે. આ તો અધર્મ ઉપર ધર્મ રૂપી વિજયી તાકાતના જન્મની ઉજવણી છે



શ્રી કૃષ્ણ જન્મ નો ઇતિહાસ એવો છે કે,દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. એ વખતે આકાશવાણી થાય છે કે, “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” તેથી કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પુરી દીધા હતા.

એક પછી એક કુલ સાત બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજીત નક્ષત્રમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. આ સૃષ્ટિ ઉપર અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું રક્ષણ કરવા ભગવાન શ્રી કૃષ્ણે ધરતી જન્મ ધારણ કર્યો.

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો. એ દિવ્ય પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વાસુદેવે જોયા. અને ભગવાન વિષ્ણુએ વાસુદેવજીને કહ્યું કે, “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મુકી આવો.” અને વાસુદેવ – દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે કારાવાસમાં થયો, પરંતું, ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં થયો. સવાર થતા જ યશોદાજીએ પુત્ર જન્મની વધાઇ સાંપડે છે.સમ્રગ્ર ગોકુળમાં ઘરે-ઘરે આનંદ અને હર્ષોલ્લાસ છવાઇ ગયો.અને દરેક ઘરોમાં , “નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી.” નો નાદ ગુંજી ઉઠયો.

આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનુ વાતાવરણ છવાઈ જાય છે, સંકટનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે :

यदा यदा हि  धर्मस्य  ग्लानिर्भवति भारत |

अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ||

( હે ભરતવંશી, જ્યાં અને જયારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામે છેતે વખતે હું સ્વયં અવતરું છું. )



જ્યારે જ્યારે આ ધરતી પર અસુરોના અત્યાચાર વધ્યા છે અને ધર્મનું પતન થયું છે ત્યારે ત્યારે ભગવાને આ પૃથ્વી પર અવતાર લઈને ધર્મ અને સત્યની સ્થાપના કરી છે. આ કડીમાં શ્રાવણ વદની મધ્યરાત્રીએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણને અવતાર લીધો હતો.

મનુષ્યરૂપમાં ભગવાનના આ આવતારમાંથી દરેક સમસ્યાઓનું નિવારણ મળે છે. બોધ પાઠ મળે છે. શ્રીકૃષ્ણના જીવનના તમામ પ્રસંગો શીખ, મહત્વ, બોધ સુચવી જાય છે. હસી, મજાક, ટીખળથી જીવન કેવું હર્યુભર્યું બને છે તેમજ આસપાસના વાતાવરણને પણ જીવંત બનાવે છે એ નટખટ કનૈયાની બાળ લીલાઓ પરથી જાણી શકાય છે. ઇચ્છા ના હોવા છતાં પણ જીવનમાં કેવા કેવા મહાભારત ખેલવા પડે છે કે પછી તેમાં ઉતરવું પડે છે એની લાચારી, ખુમારી દર્શાવે છે. છેવટે તો બધુ ભગવાનને જ આધીન છે, સર્વ શક્તિમાન આખરે તો ભગવાન જ છે, માત્ર કર્મ કરતા જાવ ફળની આશા રાખવી નહી, ગમે તેવા સંજોગોમાં અધર્મીઓને તાબે થવું નહીં સહિતનો જીવનબોધ પણ નટખટ કનૈયાના જીવનમાંથી જ મળે છે.

શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોવાળિયાઓની સાથે ગાઢ મિત્રતા રાખી અને ગોપીઓ સાથે રાસલીલા કરી. યમુના નદીમાં રહેતો કાળીનાગ બધાને ખૂબ જ ત્રાસ આપતો હતો. આ ત્રાસમાંથી બાલકૃષ્ણે ગોકુળવાસીઓને મુક્ત કર્યા. જોકે આમ તો શ્રી કૃષ્ણે પોતાના સઘળા કર્મો દ્વારા પૃથ્વી પરના દુ:ખો જ દુર કર્યા છે. એ પછી કંસવધ હોય કે જરાસંધવધ. કૃષ્ણ પોતે માખણ ખાઈને બીજાને પણ ખાતા કર્યા. માખણમાં રહેલા પોષ્ટિક તત્વોએ બાળપણથી જ યાદવોમાં તાકાત આણી, લડાઈઓ જીતવી હોય તો શારીરિક તાકાત હોવી જરૂરી છે તેમ કૃષ્ણ માનતા. તેમણે ગાયો અને અન્ય પશુધન માનવ જેટલું જ મહત્વ આપ્યું કારણકે યાદવોની આજીવિકા તેની ઉપર આધારીત હતી. તેને દરેક પગલા પાછળ કોઈને કોઈ ચોક્કસ કારણો હતા જ. તેમણે સ્ત્રીઓને ઘરની ચાર દિવાલોમાંથી બહાર કાઢી, સ્ત્રી શકિતને સમાજના વિકાસમાં ભાગીદાર બનાવી.

કૌરવો – પાંડવોની ધર્મ લડાઈમાં ધર્મને વરેલા પાંડવોનો પક્ષ લીધો. કુરુક્ષેત્રના રણમેદાનમાં કુટુંબપ્રેમી આસક્ત થયેલ અર્જુનને ‘ભગવદ ગીતા’નો ઉપદેશ આપી સમગ્ર પૃથ્વીને જીવનના બધા જ ક્ષેત્રોમાં માર્ગદર્શન મળે એવા મહાન ગ્રંથનું સર્જન કર્યું. શ્રીકૃષ્ણે અર્જુનને આ બધાથી ઉપર ઉઠવા માટે કહ્યું વ્યષ્ટિથી ઉઠીને સમષ્ટિ સુધી એટલે કે સનાતન તત્વ તરફ અને જવાનો ઉપદેશ આપ્યો.

કૃષ્ણ જન્મોત્સવમાં બધા જ લોકો આનંદથી ભાગ લે છે. પરંતુ આજે એક વાત વિચારવા જેવી છે, જો આ ઉત્સવ તમામ ઘરમાં સર્જાય, બધા વાલી નંદ બને, બધી માતાઓ જશોદા બને તો પૃથ્વી પર આવનાર બાળકને કનૈયો બનતા કોઇ રોકી નહીં શકે. કંસ જેવા અધર્મીઓ પણ તેનું કાંઇ બગાડી નહી શકે….

આવા યશસ્વી, વિજયી યોધ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ અને જ્ઞાનીયો અને જીજ્ઞાસુઓની જિજ્ઞાસા શ્રી કૃષ્ણને કોટી-કોટી વંદન.

જન્માષ્ટમી પર્વ વિશેષ – નંદ ઘેર આનંદ ભયો , જય કનૈયા લાલ કી


હિંદુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષ-વદ ના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી અથવા ગોકુલાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે.

ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે.આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો. શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો.અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો.

શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા.તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપુર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે.પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ-દામ-દંડ-ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો.શ્રી કૃષ્ણે કરેલી લીલાઓ અપાર છે.

દરેક હિન્દુના શ્રી કૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.ભારતના ગામેગામ શ્રી કૃષ્ણની અને રાધા-કૃષ્ણની વિવિધ અંગ ભંગી વાળી સુંદર મુતીઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે.

શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃન્દાવનમાં કૃષ્ણની મધુર-મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણ મય બની જતી હતી. મીરાની જેમ.

આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખુબીથી ચાલુ રહી છે.બ્રહ્મા,વિષ્ણુ તેમજ શિવ-પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રી કૃષ્ણના અત્યંત પવિત્ર જન્મ દિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ ,પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસ મય સ્વરે ગાઈએ.

નંદ ઘેર આનંદ ભયો ,જય કનૈયા લાલ કી

હાથી ઘોડા પાલખી ,જય કનૈયા  લાલ કી

જય રણછોડ, માખણ ચોર.

 શ્રી કૃષ્ણ નામ સ્મરણ મહિમા

શ્રી શુક્રદેવ રાજા પરીક્ષિતને કહે છે -
सकृन्मनः कृष्णापदारविन्दयोर्निवेशितं तद्गुणरागि यैरिह।
न ते यमं पाशभृतश्च तद्भटान्‌ स्वप्नेऽपि पश्यन्ति हि चीर्णनिष्कृताः॥
જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણ કમળમાં લગાવી દે છે, એ પાપોથી છૂટી જાય છે, પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા.

अविस्मृतिः कृष्णपदारविन्दयोः
क्षिणोत्यभद्रणि शमं तनोति च।
सत्वस्य शुद्धिं परमात्मभक्तिं
ज्ञानं च विज्ञानविरागयुक्तम्‌॥
શ્રીકૃષ્ણના ચરણ કમળનું સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ, કલ્યાણની પ્રાપ્ર્તિ, અંત: કરણની શુધ્ધિ, પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન-વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે.

જન્માષ્ટમી અને કૃષ્ણ

કૃષ્ણપક્ષની આઠમના ચંદ્રની જેમ એક પગ પર ઊભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂંક્યા, તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો હતો, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનાં વાદળો ઘેરાઈ જાય છે, મુસિબતોની વીજળીઓ પડે છે, વેદનાનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યનાં કાળાં વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે.

ઘોર અંધકારમાં જ્યારે પ્રકાશનાં કિરણો ફેલાય છે, જાજ્વલ્યમાન સૂર્ય પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયું હૃદય આનંદથી પુલકિત થતું નથી ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારાં સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઊભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કયું હૃદય નહી નાચી ઊઠે !?

ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણાં જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યાં છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોદ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મધુરંધર, સત્ય અને નીતિના ઉદ્ગાતા, ભક્તવત્સલ, જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્દગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિનના જ્ન્મોત્સવ પર્વે કોટિ કોટિ પ્રમાણ.

બધી દૃષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.
. ગઢડીયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સૌ ને જન્માષ્ટમી ની હાર્દિક શુભકામનાઓ

જન્માષ્ટમી અને કૃષ્ણ


કૃષ્ણપક્ષની આઠમના ચદ્રની જેમ એક પગ પર ઉભા થઈને, એક પગ વાંકો રાખીને, શરીરને થોડુંક વાળીને આ મુરલીધરે જે દિવસે સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂક્યા, તે દિવસ ઈતિહાસમાં અમર થઈ ગયો. વાદળોનો ગડગડાટ થઈ રહ્યો હતો, વીજળી કડકી રહી હતી, મૂશળધાર વરસાદ તૂટી રહ્યો છે, આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે, નિરાશાનુ વાતાવરણ છવાઈ જાય છે, સંકટનો વરસાદ તૂટી પડે છે, દુ:ખ-દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાહટ કરે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે.
વ્યાપ્ત અંધકારમાં જ્યારે પ્રકાશની કિરણો ફૂટી પડે છે, જાજ્વલ્યમાન રવિ પોતાની આભાને ફેલાવે છે, ત્યારે કયુ હૃદય આનંદથી પુલકિત નહી થાય ? સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે, સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે, ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારા સ્નિગ્ધ હૃદય મળે, પડી જનારાઓને ઉભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારો સ્નિગ્ધ હૃદય મળે, ત્યારે કોણુ હૃદય નહી નાચી ઉઠે ?
ભારતમાં અનેક અવતારો થયા છે. નરરત્નોની પરંપરા ભારતમાં છે. એક-એક ધ્યેયને માટે ઘણા જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યુ છે. આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા કૌસ્તુભમણિ અર્થાત શ્રી કૃષ્ણ યશસ્વી, વિજયી યોધ્ધા, ધર્મસામ્રાજ્યના ઉત્પાદક, માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્દગાતા, ધર્મના મહાન પ્રવચનકાર, ભક્તવત્સલ અને જ્ઞાનીયો અને જીજ્ઞાસુઓની જિજ્ઞાસ પૂરી કરનારા સદ્દગુરૂ એટલેકે શ્રી કૃષ્ણને અનંત પ્રણામ
બધી દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે. તેમના જીવનમાં ક્યાય પણ આંગળી ઉઠાવવામાં, ન્યૂનતા જેવુ સ્થાન નથી. એક પણ સ્થાન એવુ નથી કે જ્યા ઉણપ અનુભવી શકાય. આધ્યાત્મિક, નૈતિક કે બીજી કોઈ પણ દ્રષ્ટિએ જોઈશુ તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જનમ્યા નથી. કૃષ્ણની તુલનામાં ઉભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો.જન્માષ્ટમી અને કૃષ્ણ

મંગળવાર, 23 ઑગસ્ટ, 2016

શીતળા સાતમ


શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ કહે છે. રાંધણ છઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો સગડી ઇત્યાદી રસોઇનાં સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા- સાતમને દિવસે ઠંડુ જમે છે.

ગુજરાતનાં ધર્મપરાયણ લોકજીવનમાં શીતળામાતાની પૂજા ઘણી પ્રાચીન છે. શીતળાએ હિન્દુઓની લોકમાતા ગણાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ શીતળાદેવીની મૂર્તિ સૌથી વધુ અગત્યની ગણાય છે. જેમ વહાણવટી માતાનું વાહન વહાણ, વાઘેશ્વરીનું વાઘ અને ઊંમિયા માતાનું વાહન ઊંટ હોય છે તેમ શીતળામાતાનું વાહન ગધેડું છે. હાથમાં સાવરણી કળશ અને માથે સૂંપડું હોય છે. બંગાળના લોકો કમળ પર બેઠેલી લાલ વસ્ત્ર પહેરેલી અને બાળકને ધવરાવતી શીતળામાતાની મૂર્તિને પૂજે છે.

શીતળાની પ્રાચીન લોકપૂજાનો અને એના વિશેની માન્યતાઓનો ૯૦૦ વર્ષ પુરાણો પુરાવો મોઢેરાના સૂર્યમંદિરમાંથી મળી આવે છે. ૧૧મા સૈકામાં બંધાયેલા મોઢેરાના સૂર્યમંદિરમાં શીતળામાતાનું સ્વરૃપ કોતરેલું છે. તેમાં એક નગ્ન સ્ત્રી માથા ઉપર સૂપડું રાખી ગધેડા પર બેઠેલી છે. શીતળામાતાની મૂર્તિ નગ્ન રાખવાનું કારણ એવું છે કે શીતળાના રોગીથી વસ્ત્ર પહેરી શકાતાં નથી. વળી, ગધેડીના દૂધથી વરાઘ જેવા બાળકોનાં રોગો મટે છે તેથી તેના વાહન તરીકે ગધેડાની કલ્પના કરવામાં આવી છે.

શીતળામાતા બાળકને રોગથી બચાવનારી અને સ્ત્રીઓેને અખંડ સૌભાગ્ય આપનારી ગણાતી હોવાને લીધે સ્ત્રીઓ તેની વિશેષ પૂજા કરે છે. શીતળાનો અર્થ ઠંડક પણ થતો હોવાથી શીતળા સાતમને શીળી સાતમ પણ કહે છે. તે દિવસે ગામડાની સ્ત્રીઓ ચુલા ઠારી, લીંપણ કરી અંદર સાથિયો બનાવી કપાસના છોડનો આંબો રોપે છે અને ચોખાથી પૂજા કરી સંતાનોના ક્ષેમકુશળ ઈચ્છે છે.

શીતળામાતાનું વ્રત કરીને તે દિવસે ઘરને ખૂણે ધોયેલો પાટલો મૂકી તેના પર માટીના સાત લાડવા મૂકી વચ્ચે ઘડો મૂકે છે. ઘડા પર નાળિયેર મૂકી બે કાળી આંખો ચીતરી શીતળામાતા તૈયાર કરવામાં આવે છે. પછી ગામની સ્ત્રીઓ પીપળાના ઝાડના થડમાં સ્થાપના કરેલ માતાજીની મૂર્તિની પૂજા કરે છે અને ટાઢું ખાવા જાય છે.
પ્રાચીન સમયમાં શ્રાવણ વદી સાતમે શીતળા સપ્તમી વ્રત કરવામાં આવતું. બાજઠ પર આઠ પાંખડીવાળું કમળ આલેખી તેના પર કળશ મૂકી સોેનાના શીતળાદેવીની સ્થાપના કરી. ૐ શીતલાય્ નમ: મંત્ર બોલીને શીતળાની પ્રીતિ અર્થે બ્રાહ્મણોને દહી અને ફળનું દાન અપાતું.

ધાંગઘ્રાના ફુલકુ નદી કિનારે શીતળામાતાનું મંદિર છે. જ્યાં શીતળામાતા અને બળિયા કાકાની જોડાજોડ જોવા મળે છે. શીતળા સાતમે અહીં મોટો મેળો ભરાય છે.

આ ઉત્સવ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે સાધનો જડ હોવા છતાં પણ આપણા ઉપયોગમાં આવ્યાં છે તેથી આપણી તેમના માટે કૃતજ્ઞા બુદ્ધિ રહેવી જોઇએ. તાત્વિક દ્રષ્ટિએ જોતાં જગતમાં કશું જડ છે જ નહીં. એ રીતે આપણા કામમાં સહાયક બનનાર નિમિત્તરૃપ સાધનોમાં રહેલા સુષુપ્ત ચૈતન્યની આપણે પૂજા કરવી જોઇએ.

શીતળા-સાતમને દિવસે સ્ત્રીઓ સગડીની પૂજા કરે છે. ચૂલો એ તો ઘરનો દેવતા છે. કૃતજ્ઞાતાના પાયા પર ઊભેલી ભારતીય સંસ્કૃતિ આ ગૃહ દેવતાના ઉપકારને કેમ ભૂલી શકે? પોતે તપીને જે રોજ આહાર પકવી આપે છે તે ચૂલાનું પૂજન કરીને સ્ત્રીઓ પોતાની કૃતજ્ઞાતા પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં પણ સતત સંતપ્ત રહેતા એ ચૂલામાં તે દિવસે આંબાનો નાનો રોપ પણ મૂકવામાં આવે છે. એની પાછળ, આમ્રવૃક્ષની શીતળતા સતત તેને મળતી રહે તેમજ આંબાનાં ફળ જેવી મીઠાશ તે રસોઇમાં ભરતો રહે એવી ભાવના છુપાયેલી છે.

ભારતીય સંસ્કૃતિ કાર્ય સાધતી વખતે કે કાર્ય સિધ્ધ થયા પછી સાધનોની ઉપેક્ષા કરવામાં માનતી નથી. એટલું જ નહીં પણ જે સાધનો કાર્ય-સાધક બન્યાં કે બની શકે તેને માટે તે હંમેશા ગૌરવ રાખવાનું સૂચવે છે. સ્ત્રી સગડી કે ઘંટીની પૂજા કરે છે, ખેડૂત પોતાના હળની પૂજા કરે છે, વેપારી ત્રાજવાને પવિત્ર માને છે, તેમજ પંડિત પોતાના પુસ્તકનું પૂજન કરે છે. પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર માની જે ભારતીય સંસ્કૃતિએ તેનું પૂજન કર્યું છે તે ભારતીય સંસ્કૃતિ 'પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માને' એવો ઉદ્ઘોષ કરે એ યથાર્થ જ છે.

કલમ હો કે તલવાર, હળ હો કે ત્રાજવું, સગડી હો કે ઝાડુ, પ્રત્યેક વસ્તુને પવિત્ર માનવામાં જ તેનું પૂજન પૂરું થતું નથી. દરેક વસ્તુની પવિત્રતા ટકાવી રાખવામાં, તે વસ્તુને ઉત્કૃષ્ટ રાખવામાં જ તેના પૂજનની પૂર્ણાહુતિ થાય છે. જેમ મળેલું કર્મ ઉત્કૃષ્ટ રીતે કરવું એ કર્મનું પૂજન છે તેમ મળેલી વસ્તુ ઉત્કૃષ્ટ રીતે રાખવી તે વસ્તુનું પૂજન છે. આપણાં વસ્ત્રોને આપણે સ્વચ્છ અને પવિત્ર રાખીએ એ આપણાં વસ્ત્રોની પૂજા છે. આપણાં પુસ્તકોને પૂઠું ચડાવી નવાં જેવાં રાખીએ એ પુસ્તકોનું પૂજન છે.

'પુસ્તકની આપણને એક પ્રાર્થના છે કે મને તેલથી પાણીથી, અને શિથિલ બંધનથી બચાવો, તેમજ ભૂલેચૂકે પણ કદી મને મૂર્ખના હાથમાં ન સોંપો.' ઘણા લોકોને ખુલ્લુ પુસ્તક ઊંધુ મૂકી રાખવાની ટેવ હોય છે. જે પુસ્તકની બાંધણીને નુકસાન કરે છે. ઘણા લોકોને નિશાની રાખવા ખાતર પાનાના ખૂણાઓ મરડીને રાખવાની ટેવ હોય છે. ઘણા લોકોને જીભ પર આંગળી રાખી પાના પલટવાની આદત હોય છે. આવી બધી કુટેવોથી બચવું અને પુસ્તકને સુઘડ રીતે સાચવવું અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું એ પુસ્તકની પૂજા છે.

દાંતને સાફ અને સફેદ રાખવા, શરીરને સ્નાનાદિથી સ્વચ્છ રાખવું, વાળ ઓળેલા રાખવા વગેરે તેમની પૂજા જ છે. વાર-તહેવારે પોતાના વાહનને હાર પહેરાવનાર માણસ પણ તેની પૂજા જ કરે છે. તે જ રીતે સોંપેલું કામ સારામાં સારી રીતે કરવું એ શ્રમની પૂજા છે. ઉત્કૃષ્ટ અભ્યાસ કરવો, માતા-પિતાની આજ્ઞાાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી ઇત્યાદી સૌ આપણી કર્મપૂજા છે.

સાધન પૂજા અને કર્મપૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં જે સમજી લે છે તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે, તે જ જીવનમાં શીતળતા અનુભવી શકે છે. શીતળા- માતા સેવાની દેવી છે. સેવા કરનાર જેટલી અંતરની શાંતિ મેળવી શકે છે એટલી બીજું કોઇ નથી મેળવી શકતું.

સૂપડું અને સાવરણી જેવાં સેવાનાં ક્ષુદ્ર સાધનોને તેમની ઉપયોગીતા જોઇ તેમણે પોતાની પાસે રાખ્યાં છે. તેમની પૂજા કરવાથી બાળકોને રોગો થતા નથી. સૂપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાનાં સ્થાનો સાવરણાથી સાફ કરી સ્વચ્છ અને સુઘઢ રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય એવો આ ઉત્સવનો સંદેશ છે.
-જયના

સોમવાર, 22 ઑગસ્ટ, 2016

Gujrati Kahevto


👌101 ગુજરાતી કહેવતો..👌
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
😋તમને કેટલી કેહવત યાદ છે ?
💚૧, બોલે તેના બોર વહેચાય
💚૨. ના બોલવામાં નવ ગુણ
💚૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન
💚૪. ડાહ્યી સાસરે ન જાય અને
ગાંડીને શીખામણ આપે
💚૫. સંપ ત્યાં જંપ
💚૬. બકરું કઢતા ઉંટ પેઠું
💚૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં
💚૮. સિધ્ધિ તેને જઈ વરે
જે પરસેવે ન્હાય
💚૯. બગલમાં છરી અને
ગામમાં ઢંઢેરો
💚૧૦. લૂલી વાસીદુ વાળે અને
સાત જણને કામે લગાડે
💚૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો
💚૧૨. ખાલી ચણો વાગે ઘણો
💚૧૩. પારકી મા જ કાન વિંધે
💚૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ
ત્યાં પહોંચે અનુભવી
💚૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય
💚૧૬. દૂરથી ડુંગર રળિયામણાં
💚૧૭. લોભી હોય ત્યાં
ધૂતારા ભૂખે ન મરે
💚૧૮. શેરને માથે સવાશેર
💚૧૯. શેઠની શીખામણ ઝાંપા સુધી
💚૨૦. હિરો ગોગે જઈને આવ્યો
અને ડેલીએ હાથ દઈને
પાછો આવ્યો
💚૨૧. વડ જેવા ટેટા ને
બાપ જેવા બેટાં
💚૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ
💚૨૩. રામ રાખે તેને કોણ ચાખે
💚૨૪. ઊંટના અઢાર વાંકા
💚૨૫. ઝાઝા હાથ રળીયામણાં
💚૨૬. કીડીને કણ ને હાથીને મણ
💚૨૭. સંગર્યો સાપ પણ કામનો
💚૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર
💚૨૯. નાચ ન જાને આંગન ટેઢા
💚૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે
💚૩૧. ચેતતા નર સદા સુખી
💚૩૨. સો દહાડા સાસુના
એક દાહડો વહુનો
💚૩૩. વાડ થઈને ચીભડાં ગળે
💚૩૪. ઉતાવળે આંબા ન પાકે
💚૩૫. સાપ ગયા અને
લીસોટા રહી ગયા
💚૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે
💚૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે
💚૩૮. કાશીમાં પણ
કાગડા તો કાળા જ
💚૩૯. કૂતરાની પૂંછડી
જમીનમાં દટો તો પણ
વાંકી ને વાંકી જ
💚૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં
અને વહુનાં લક્ષણ બારણાં માં
💚૪૧. દુકાળમાં અધિક માસ
💚૪૨. એક સાંધતા તેર તૂટે
💚૪૩. કામ કરે તે કાલા,
વાત કરે તે વ્હાલાં
💚૪૪. મા તે મા,
બીજા વગડાનાં વા
💚૪૫. ધીરજનાં ફળ મીઠાં
💚૪૬. માણ્યુ તેનું
સ્મરણ પણ લહાણું
💚૪૭. કૂવામાં હોય તો
હવાડામાં આવે
💚૪૮. સો સોનાર કી એક લૂહાર કી
💚૪૯. રાજા ને ગમે તે રાણી
💚૫૦. કાગનું બેસવુ
અને ડાળનું પડવું
💚૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા
💚૫૨. ગાંડાના ગામ ન હોય
💚૫૩. સુકા ભેગુ લીલુ બળે
💚૫૪. બાવાનાં બેવુ બગડે
💚૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે
ત્યારે કપાળ ધોવા ન જવાય
💚૫૬. વાવો તેવું લણો
💚૫૭. શેતાનું નામ લીધુ
શેતાન હાજર
💚૫૮. વખાણેલી ખીચડી
દાઢે વળગી
💚૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે
💚૬૦. સંગ તેવો રંગ
💚૬૧. બાંધી મુઠી લાખની
💚૬૨. લાખ મળ્યાં નહિ
અને લખેશ્રી થયા નહિ
💚૬૩. નાણાં વગરનો નાથીયો ,
નાણે નાથા લાલ
💚૬૪. લાલો લાભ વિના ન લૂટે
💚૬૫. હિમ્મતે મર્દા
તો મદદે ખુદા
💚૬૬. પૈ ની પેદાશ નહી અને
ઘડીની નવરાશ નહી
💚૬૭. છાશ લેવા જવુ
અને દોહણી સંતાડવી
💚૬૮. ધોબીનો કૂતરો
ન ઘર નો , ન ઘાટનો
💚૬૯. ધરમની ગાયનાં
દાંત ન જોવાય
💚૭૦. હાથી જીવતો લાખનો ,
મરે તો સવા લાખનો
💚૭૧. સીધુ જાય અને
યજમાન રીસાય
💚૭૨. વર મરો, કન્યા મરો
પણ ગોરનું તરભાણું ભરો
💚૭૩. હસે તેનું ઘર વસે
💚૭૪. બેગાની શાદીમેં
અબ્દુલ્લા દિવાના
💚૭૫. ફરે તે ચરે,
બાંધ્યા ભૂખ્યા મરે
💚૭૬. ભેંસ આગળ ભાગવત
💚૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે
ને પાડોશીને આંટો
💚૭૮. રાત થોડી ને વેશ ઝાઝા
💚૭૯. ના મામા કરતાં
કાણો મામો સારો
💚૮૦. ભેંસ ભાગોળે
અને છાશ છાગોળે
💚૮૧. મન હોયતો માંડવે જવાય
💚૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે
💚૮૩. પારકી આશ સદા નીરાશ
💚૮૪. ઘરકી મુર્ગી દાલ બરાબર
💚૮૫. બાર વર્ષે બાવો બાલ્યો
💚૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા
💚૮૭. ભાવતુ હતું ને વૈદે કીધું
💚૮૮. જેને કોઇ ન પહોંચે
તેને તેનું પેટ પહોંચે
💚૮૯. નામ મોટા દર્શન ખોટા
💚૯૦. લાતોના ભૂત
વાતોથી ન માને
💚૯૧. ગાય વાળે તે ગોવાળ
💚૯૨. બાંધે એની તલવાર
💚૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા
💚૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા
💚૯૫. મારું મારું આગવું
ને તારું મારું સહિયારું
💚૯૬. આગ લાગે ત્યારે
કૂવો ખોદવા ન જવાય
💚૯૭. આંધળામાં કાણો રાજા
💚૯૮. ઈદ પછી રોજા
💚૯૯. ખાડો ખોદે તે પડે
💚૧૦૦. ક્યાં રાજા ભોજ ,
ક્યાં ગંગુ તલી
💖૧૦૧. નમે તે સૌને ગમે
🌹☘🌹☘🌹☘🌹☘

પ્રેરક પ્રસંગો


એક ઓટોમોબાઇલ એન્જીનીયરે અફ્લાતૂન કાર બનાવી. કારને જોઇને જ લોકોની આંખો આશ્વર્યથી પહોળી થઇ જાય એવી અદભૂત કાર હતી. એન્જીનિયર કંપનીના માલીકને સરપ્રાઇઝ આપવા માંગતો હતો એટલે ગેરેજના અંદરના ભાગમાં છુપી રીતે આ કાર બનાવવામાં આવી હતી. કાર તૈયાર થયા પછી કંપનીના માલિકને જાણ કરવામાં આવી.

કંપનીના માલિક ગેરેજના અંદરના ભાગે આવ્યા અને કારને જોઇને રીતસરના નાચવા લાગ્યા. કાર બનાવનાર એન્જીનિયરને ભેટીને અભિનંદન આપ્યા અને એન્જીનિયર માટે મોટી રકમના ઇનામની જાહેરાત કરી. કારને હવે ગેરેજના અંદરના ભાગમાંથી બહાર લાવીને પ્રદર્શન માટે મુકવાની હતી. ડ્રાઇવર ગાડી ચલાવીને દરવાજા સુધી આવ્યો પછી અટકી ગયો. દરવાજાની ઉંચાઇ કરતા ગાડીની ઉંચાઇ સહેજ વધુ હતી. એન્જીનિયર આ બાબતને ધ્યાને લેવાનું ભૂલી ગયેલો.

ત્યાં હાજર જુદી-જુદી વ્યક્તિઓએ જુદા-જુદા સુચનો આપવાના ચાલુ કર્યા. એકે કહ્યુ 'દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાંખો, ગાડી નીકળી જાય પછી ફરીથી ચણી લેવાનો'. બીજાએ કહ્યુ 'ઉપરનો ભાગ તોડવાને બદલે નીચેની લાદી જ તોડી નાંખો અને ગાડી નીકળી ગયા પછી નવી લાદી ચોંટાડી દેવાની' ત્રીજાએ વળી કહ્યુ ' ગાડી દરવાજા કરતા સહેજ જ ઉંચી દેખાય છે એટલે પસાર થઇ જવા દો. ગાડીના ઉપરના ભાગે ઘસરકા પડે તો ફરીથી કલર કરીને ઘસરકાઓ દુર કરી શકાય'.

આ બધા સુચનો પૈકી ક્યુ સુચન સ્વિકારવું એ બાબતે માલિક મનોમંથન કરતા હતા. માલિક અને બીજા લોકોને મુંઝાયેલા જોઇને વોચમેન નજીક આવ્યો અને વિનમ્રતાથી કહ્યુ, "શેઠ, આ કંઇ કરવાની જરૂર નથી. ચારે વીલમાંથી હવા ઓછી કરી નાંખો એટલે ગાડી સરળતાથી દરવાજાની બહાર નીકળી જશે" માલિક સહિત બધાને થયુ કે વોચમેનને જે વિચાર આવ્યો એ વિચાર આપણને કોઇને કેમ ન આવ્યો ?

જીવનમાં આવતી દરેક સમસ્યાને નિષ્ણાંત તરીકેના દ્રષ્ટિકોણથી ન જુવો. મોટાભાગની સમસ્યાઓના ઉકેલ બહુ સરળ હોય છે પણ વધુ પડતા વિચારોથી આપણે સમસ્યાને ગૂંચવી નાંખીએ છીએ.બીજુ કે મિત્રો અને સગા-સંબંધીઓના ઘરના દરવાજા કરતા આપણી ઉંચાઇ વધી જાય અને અંદર પ્રવેશવામાં મુશ્કેલી થાય તો થોડી હવા ( અહંકાર ) કાઢી નાંખવી પછી આરામથી પ્રવેશ કરી શકાશે.

રાંધણ છઠ્ઠ


રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમનું ધાર્મિક મહત્વ,પૂજાવિધિ ને કથા

છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળામાતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે.
લોકમાન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે-ઘરે ફરે છે અને ચુલામાં આળોટે છે. જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે.શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજા-વિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. છઠ્ઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠ્ઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી-બંધ કરી તેના પર કન્કોલા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડું દૂધ, જળ,ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે. પછી ફૂલહાર ચઢાવી પોતાની મનોકામના મનમાં વ્યક્ત કરી નમસ્કાર કરવા. આ પૂજન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, સંતાન હોય પણ જો તે રોગગ્રસ્ત રહેતું હોય તો તેને ફાયદો મળે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત જરૂર કરવું જોઈએ.

કથા એવી છે કે રાંધણ છઠ્ઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગયા હતા. રાત્રે સૂમસામ શાંતિમા શીતળાદેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળોટવા જતાં જ આખા શરીરે દાઝી ગયાં, તેથી શાપ આપ્યો: "જેવી મને બાળી, એવું જ તારું પેટ એટલે તારી સંતતિ બળજો..."
બીજા દિવસે સવારે જોયું બાળક દાઝેલું હતું, આ જોઈને નાની વહું કલ્પાંત કરવા લાગી. કોઈ એ કહ્યું કે નક્કી આ શીતળા માતાનો કોપ છે. આ સાંભળી તે ટોપલામાં દાઝેલા બાળકને લઈ અને વન-વન ભટકવા લાગી. વનમાં એક બોરડી નીચે તેને વૃદ્ધ ડોશી દેખાયા, ડોશીએ તેને બોલાવી. તે ત્યાં ગઈ, તે ડોશીના કહેવા પ્રમાણે તેણે તેના માથાને સાફ કર્યું. આ રીતે ડોશીની સેવા કરવાથી ડોશીએ કહ્યું ‘‘ જેવી મને ઠંડક આપી તેવી તને ઠંડક મળજો. ’’ એમ કહી તેના દીકરાને સ્પર્શ કર્યો તો તે સજીવન થયો. શીતળા માતાએ દર્શન આપી તેને ઘરે મોકલી. આ રીતે શીતળા માતા તેને પ્રસન્ન થયા. તેને ઘરે ધન-ધાન્યની વૃદ્ધિ થઈ અને સ્વસ્થ સંતાનની પ્રાપ્તિ થાઈ.

આપણા ઘણા ઉત્સવ પ્રાદેશિક હોય છે. આ ઉત્સવ પણ આપણા વડીલોએ ઘણી બાબતો વીચારીને કરી છે. પહેલાના જમાનામાં શિતળાનામનો રોગ થતો હતો. વળી, આ સમય શ્રાવણનો છે, જે વરસાદનો સમય છે. આ સમયમાં શરીરને રોગપ્રતિકારક શક્તિની ખાસ જરૂર હોય છે. તેથી એક દિવસ ભોજનમાં રુખુ-સુકુ ચલાવીને શરીરને આરામ આપવાની વાત છે. જો કે હાલ તો અનેક વાનગીઓ માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. વળી, વ્યાવહારિક કારણ એવું છે કે રાંધણ છઠ્ઠના દિવસે રસોઈ કરી સાતમના દિવસે સ્ત્રીઓ રસોઈના કામમાંથી મુક્ત રહી શકે જેથી કરીને આવનારા બે દિવસ જન્માષ્ટમી અને પારણાનોમની તૈયારી થઈ શકે છે. આ ઉપરાંત ધાર્મિક મહત્વ એવું છે કે આપણું પાલન-પોષણ કરનાર અન્નને જેમ શાસ્ત્રઓએ દેવતા કહ્યા છે તે રીતે અગ્નિને પણ દેવતા કહ્યા છે. તેના પૂજનની પણ આ એ પ્રચલિત વિધિ છે. શીતળા માતા ઘરમાં બધા પ્રકારના તાપ-સંતાપ અને ઉત્તાપને શાંત કરનાર દેવી છે. આવા કારણો છે જે આપણને આ તહેવારોથી જોડી રાખે છ.

નાગપંચમી Nagpanchmi


 શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી. ભારતીય જયોતિષ તથા ધર્મશાસ્ત્રમાં પાંચમની તિથિનો સ્વામી (અધિપતિ) નાગ છે. વર્ષ દરમિયાન લગભગ મોટા ભાગની પાંચમ તિથિ ભારતના કોઈને કોઈ પ્રદેશમાં નાગપંચમી તરીકે પૂજાય છે. બંગાળ અને કેરળ એ નાગપૂજાના પ્રધાનક્ષેત્ર ગણાય છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં શ્રાવણ સુદ પાંચમને દિવસે નાગપંચમી ઉજવાય છે. જયારે બાકીના મોટાભાગનાં વિસ્તારોમાં રક્ષાબંધન પછીની અને જન્માષ્ટમી પહેલાની વદ પાંચમને નાગપંચમી તરીકે ઉજવાય છે.

સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત જ એવો દેશ છે જ્યાં સર્વ પ્રાણીઓ, પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થનાઓ થાય છે. હિંદુ ધર્મના તહેવારોની આ એક વિશેષતા છે. સર્વનું કલ્યાણ થાય તે જ ધર્મનો સાચો અર્થ છે. ભારત એ દેશ છે જ્યાં નાગને પણ ભગવાન તરીકે ગણવામાં આવે છે. પ્રાણીઓ પ્રત્યેનો અતૂટ પ્રેમ અને શ્રદ્ધા ફક્ત હિંદુ ધર્મમાં જ જોવા મળે. નાગ પંચમીનો તહેવાર આ શ્રદ્ધાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આ દિવસે સાપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાપોને દૂધ પીવડાવવામાં આવે છે. દક્ષિણ ભારતના ઘણાં મંદિરોમાં નાગદેવતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી હોય છે.

કહેવાય છે કે આપણી ધરતી શેષનાગના ફેણ પર ટકેલી છે, અને જ્યારે ધરતી પર પાપ વધી જાય છે. ત્યારે શેષનાગ પોતાની ફેણને સમેટી લે છે જેથી ધરતી હલે છે. આપણા દેશમાં દરેક સ્થાન પર કોઈને કોઈ રૂપે શંકર ભગવાનની પૂજા થાય છે, અને એમના ગળામાં, જટાઓમાં અને બાજુઓમાં નાગની માળા સ્પષ્ટ દેખાય છે. તેના કારણે પણ લોકો નાગની પૂજા કરવામાં વધુ શ્રદ્ધા રાખે છે.

નાગ સાથે અનેક કથાઓ સંકળાયેલી છે. હિંદુ ધર્મમાં મોટાભાગની બહેનો આ વ્રત કરતી હોય છે. નાગનો સ્વભાવ તો ઝેર ઓકવાનો છે, પણ તેને હેરાન ન કરવામાં આવે તો તે કરડતો નથી. કમનસીબે આજનો માણસ ઝેરી બનતો જાય છે. કેટલાક માણસોના હૃદય અને મનમાં ઝેર ભર્યુ હોય છે. જો કે આવો સ્વભાવ આખરે નુકશાનકારક નિવડે જ છે.


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


જુદા જુદા ક્ષેત્રો મુજબ નાગપંચમીની કથાઓ અમે અહીં રજૂ કરી છે. આ કથાઓ સુખ સૌભાગ્ય આપનારી અને બધા દુ:ખ દુર કરનારી છે
કોઈપણ કથાને પૂરી શ્રધ્ધાથી કહેવાથી કે સાંભળવાથી જ મનગમતું ફળ મળે છે.
નાગપંચમી કથા - 1
કોઈ એક રાજ્યમાં એક ખેડૂત રહેતો હતો. ખેડૂતને બે છોકરા અને એક છોકરી હતી. એક દિવસે હળ ચલાવતાં સમયે હળથી ત્રણ સાંપના બચ્ચાં કચડાઈને મરી ગયા. નાગણ પહેલાં તો સંતાપ કરતી રહી પછી તેણે પોતાના બાળકોના હત્યારા જોડે બદલો લેવાનું નક્કી કર્યુ. રાત્રિના અંધકારમાં નાગણે ખેડૂત, તેની પત્ની બે બાળકોને કરડી લીધુ. બીજા દિવસે સવારે ખેડૂતની પુત્રીને કરડવાના ઈરાદે નાગણ ફરી ચાલી નીકળી તો ખેડૂત પુત્રીએ તેની સામે દૂધથી ભરેલો વાડકો મુકી દીધો અને હાથ જોડીને ક્ષમા માંગી લીધી. નાગિન પ્રસન્ન થઈ ગઈ અને તેના માતા પિતા અને ભાઈઓને ફરી જીવીત કરી દીધા. તે દિવસે શ્રાવણ શુક્લ પંચમી હતી. ત્યારથી અત્યાર સુધી નાગના ગુસ્સાથી બચવા માટે આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે.
નાગપંચમી કથા -2
કોઈ રાજ્યમાં રાજા-રાણી રહેતા હતા. રાણી ગર્ભવતી હતી. તેણે જંગલી કારેલા ખાવાની ઈચ્છા રજૂ કરી. રાજાને જંગલમાં કારેલા દેખાયા. તેણે તે તોડીને થેલીમાં ભરી લીધી. તેટલામાં નાગદેવતા ત્યાં આવી પહોચ્યાં અને બોલ્યા કે મને પૂછ્યા વગર કેમ તોડી લીધા ? તો રાજાએ હાથ જોડીને કહ્યુ કે મારી પત્ની ગર્ભવતી છે અને તેને આ ખાવી હતી. મને અહીં દેખાયા તો મેં તોડી લીધા. મને ખબર હોત કે આ તમારા છે તો હું જરુર પૂછી લેત. હવે મને ક્ષમા કરો.
નાગદેવતા બોલ્યા - હું તમારી વાતો માં નહી આવુ. આ કારેલાને અહીં મુકી દો અથવા તો તમારી પહેલી સંતાન મને આપી દેજો. રાજા કારેલા ઘરે લઈ આવ્યો અને પોતાની પ્રથમ સંતાન આપવાની વાત પણ કરી આવ્યો. રાણીને તેણે બધી વાત કરી છતાં રાણીએ કારેલા ખાવાની ઈચ્છા ન છોડી.
થોડા સમય પછી એક રાણીએ એક પુત્રી અને પુત્રને જન્મ આપ્યો. નાગને ખબર પડી તો તે પહેલી સંતાન માંગવા લાગ્યો. રાજા કદી કહેતાં મુંડન પછી તો કદી કહેતા કાન છેદયા પછી લઈ જજો. છેવટે રાજાએ કહ્યું કે લગ્ન પછી લઈ જજો. નાગ પહેલા તો રાજાની વાતો માનતો રહ્યો, પણ જ્યારે રાજાએ લગ્ન પછી લઈ જવાની વાત કરી તો નાગે વિચાર કર્યો કે લગ્ન પછી તો કન્યા પર પિતાનો અધિકાર રહેતો નથી. તેથી કોઈ બીજું બહાનું બનાવીને છોકરીને લગ્ન પહેલાં જ લઈ જવી પડશે.
એક દિવસે રાજા પોતાની પુત્રીને તળાવ પર નહાવા માટે લઈ ગયો. તળાવના કિનારે એક સુંદર કમળનું ફુલ હતુ. રાજાની પુત્રી ફૂલ તોડવા આગળ વધી તો કમળનું ફૂલ પણ આગળ વધ્યું ફૂલની સાથે-સાથે છોકરી પણ આગળ વધતી ગઈ. જ્યારે રાજાની પુત્રી ઉંડાણમાં ડૂબી ગઈ ત્યારે નાગે રાજાને કહ્યું કે હુ તમારી છોકરીને લઈ જઉં છું આ સાંભળી રાજા મૂર્છિત થઈ ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તે માથું પછાડી-પછાડીને મરી ગયો.
રાજાના મૃત્યુના સમાચાર અને પુત્રીને નાગ લઈ ગયો છે તેવી ખબર પડતાં રાણી પણ તેમના વિયોગમાં મરી ગઈ. છોકરો એકલો છે જોઈને સગાં-સંબંધીઓએ રાજપાટ છીનવી લીધું અને તેને ભિખારી બનાવી દીધો.
તે ઘેર-ઘેર ફરીને ભીખ માંગતો, અને પોતાનું દુ:ખ સૌને કહેતો, એક દિવસે જ્યારે તે નાગદેવતાની ઘેર ભીખ માંગવા ગયો તો બહેનને તેનો અવાજ સંભળાયો. તેને અવાજ જાણીતો લાગ્યો. તેણે બહાર આવીને જોયું અને પોતાના ભાઈને ઓળખી લીધો. પ્રેમથી તેને અંદર બોલાવી લીધો. બંને પ્રેમથી ત્યાં રહેવા લાગ્યા.