મંગળવાર, 2 ઑગસ્ટ, 2016

'Japan ' vishe atlu jano


👌जापान के बारे में प्राप्त जानकारी, अपने,"मित्र समूहों" के साथ साझा करूँगा!!!

👌बुद्धा को मानने वाला देश जापान, लगभग 6800 द्वीपो से मिलकर बना है !!
👌 इस देश का नाम,कुछ भी नया करने में,सबसे आगे रहता है !!! यहां के लोग कितने मेहनती हैं, इस बात का अंदाजा यही से लगाया जा सकता है,कि दूसरे विश्वयुद्ध में, अमेरिका जैसे देशों ने,जोर लगा लिया था !!
👌लेकिन,जापान पीछे हटने को तैयार नहीं हुआ। आज हम जापान से जुड़े,कुछ रोचक तथ्य बताएंगे !! जो शायद आप न जानते हों! !।

👌1. जापान में हर साल लगभग 1500 भुकंम्प आते हैं! !मतलब कि हर दिन चार !!

👌2. मुसलमानों को “नागरिकता” न देने वाला,"जापान"अकेला राष्ट्र है।
👌यहाँ तक कि,"मुसलमानों"को जापान में,किराए पर मकान भी नहीं मिलता।

👌3. जापान के किसी "विश्वविद्यालय"में"अरबी"या अन्य कोई"इस्लामी भाषा",नहीं सिखाई जाती।!!

👌4. कुत्ता पालने वाला,प्रत्येक जापानी नागरिक,उसे घुमाते समय, अपने साथ एक विशेष बैग रखता है !! जिसमें वह उसका मल,"एकत्रित" कर लेता है।!

👌5. जापान में,10 साल की उम्र होने तक, बच्चों को, कोई"परीक्षा" नहीं देनी पड़ती।

👌6. जापान में "बच्चे,"और "अध्यापक"एक साथbhule र, Classroom को साफ करते हैं ।

👌7. जापान के लोगों की,औसत आयु दुनियां में सबसे ज्यादा है !! (82 साल).
👌जापान में,100 साल से ज्यादा उम्र के,50,000 लोग हैं! !।

👌8. जापान के पास,किसी प्रकार के"प्राकृतिक संसाधन"नहीं हैं! !
👌और वे प्रतिवर्ष,"सैंकड़ों भूकंप" भी, झेलते हैं !! किन्तु उसके बाद भी, "जापान दुनिया" की दूसरी सबसे बड़ी,"आर्थिक शक्ति" है!!।

👌9. “Sumo” जापान की,सबसे "लोकप्रिय"खेल है !!इसके इलावा बेसबाल भी, काफी लोकप्रिय है !!

👌10. जापान में,सबसे ज्यादा लोग पढ़े लिखे हैं! !जहां साक्षरता दर,100% है !!
👌जहां,अखबारों और न्युज चैनलों में,भारत की तरह,दुर्घटना, राजनीति, वाद-विवाद, फिल्मी मसालों,आदि पर,खबरे नहीँ छपती !!
👌यहां पर,अखबारों में,आधुनिक जानकारी और आवश्क खबरें ही छपती हैं !!!

👌11. जापान में,जो किताबें प्रकाशित होती हैं !! उन में से 20% Comic Books होती हैं !!

👌12. जापान में,नववर्ष का स्वागत,"मंदिर"में 108 घंटियाँ बजा कर,किया जाता है।!!

13. जापानी,समय के बहुत पक्के हैं! ! यहां तो ट्रेने भी,"ज्यादा से ज्यादा" "18 सैकेंड"लेट होती हैं! !।
👌14. “Vending Machine”, वह मशीन होती है !! जिसमें सिक्का डालने से,कोई चीज आदि,निकल आती है !! जेसे कि, noodles,अंडे, केले,आदि !!
👌जब आप,जापान में होगे तो, इन मशीनों को हर जगह,पाएँगे !!यह हर सड़क पर होती हैं  !!जापान में लगभग "55 लाख वेंडिंग मशीन" हैं! !।

👌15.  जापान में, देर रात,तक "नाचना"मना है।

👌16. जापान में, एक ऐसी बिल्डिंग भी है,जिसके बीच से"हाइवे", गुजरता है।

👌17. जापान चारों और से,"समुंदर"से घिरा होने के बावजूद, भी 27 प्रतीशत मछलियां,दूसरे देशों से मंगवाता है !!

👌18. "काली बिल्ली"को,जापान में,"भाग्यशाली"माना जाता है।

👌19. जापान में, 90% “Mobile WaterProof” हैं! !क्योकिं,ये लोग नहाते समय भी,फोन यूज करते हैं! !।
👌20. जापान में,70 तरह की “fanta” मिलती हैं! !।

👌21. जापान में,सबसे ज्यादा सड़के ऐसी हैं, जिनका कोई नाम नहीं है।

👌22. जापानियो के पास, “Sorry” कहने के,20 से ज्यादा तरीके हैं ।

👌23. जापान,दुनिया का सबसे बड़ा,"आॅटोमोबाइल"निर्माता है।

👌24. साल 2011 में,जापान में जो "भूकंप"आया था !! वह आज तक का,सबसे तेज भूकंप था।
👌 इस भूकंप से,पृथ्वी के “घूमने की गति” में, 1.8 microseconds की वृद्धि हुई थी।

👌25. जापान,दुनिया का केवल एकलौता देश है!!  जिस पर “परमाणु बमों” का हमला हुआ है !!
👌 जैसा कि,आप जानते ही हैं कि,  अमेरिका ने,6 और 9 अगस्त 1945 में,"हीरोशिमा और नागाशाकी"पर, बम फेंके थे !!
👌इन बमों को,"little-boy"और "Fat-man"नाम दिया गया था !!
👌26. "जापान में इस्लाम पंथ"नहीं होने के कारण,वहाँ"स्लीपर सेल"नहीं हैं !! और वहाँ एक भी,"आतंकी वारदात"नहीं हुई है।!!
               👍👍👍
💥NOTE :---यदी -यह जानकारी अच्छी लगे तो आगे Forward करें वरना-इसे यहीं Drop करें👏

કૃષ્ણ...જગદ્ ગુરૂ કહેવાયા...


ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ...
અને કાલી કાલી ભાષામાં બોલ્યું..''માં આજ મારા સા'બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે''
ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી..
બપોર પછી બાળક સ્કુલે થી આવ્યો..એને નવડાવી..નવા કપડા પહેરાવી..તૈયાર કરી ને આંગળી પકડી ને એ ગરીબ મહીલા નાનકડા ગામની બજાર મા આવી..કંદોઈ ની દુકાને થી સો ગ્રામ જલેબી લઈ ને ગામના મંદિર તરફ ચાલી...
મંદિરે જઈ..બાળક ને પગે લગાડી..પૂજારી પાસે આવી બાળક ને પણ પગે લગાડી પોતે પણ..જલેબી નુ પડીકું..પૂજારી ના પગ પાસે મુક્યુ..
પૂજારી એ પૂછ્યું આ શુ છે બેન...?
ગરીબ મા એ કહ્યું..''બાપુ જલેબી છે...તમને જલેબી બહુ ભાવે છે ને..મને એ ખબર..આજે મારા દિકરા નો જન્મ દિવસ છે એટલે અમે ગરીબ માણસ બીજું તો શું કરીએ..!!
પણ તમને ભાવતી જલેબી લાવી એ ખાઇ લો અને એમાં થી થોડી પ્રસાદ તરીકે આપો એ મારો દિકરો ખાઇ લે...એટલે એનો જન્મદિવસ ઉજવાય જાય....''
પૂજારી એ કહ્યું..''એ સાચું બેન પણ આજે તો મારે ઉપવાસ છે..!!
અને હાથ લંબાવ્યો પડીકું પાછુ આપ્યું..એ ગરીબ મહીલા એ પડીકું તો લીધુ પણ એની આંખો ના ખૂણા ભીના થયા...
પૂજારી એ કહ્યુ ''કેમ બેન..!! તમને ઓછું લાગ્યું..?
ત્યારે એ ગરીબ બાળક ની માતા પોતાના ભાગ્ય ને દોષ દેતી એટલું બોલી કે,બાપુ...અમારા ગરીબ ના ભાગ્ય પણ ગરીબ હોય છે..નહિ તો આજે જ તમારે ઉપવાસ ક્યાથી હોય...?
પૂજારી એની સામે જોઈ રહ્યો..અને બોલ્યો..લાવો બેન..મારે જલેબી ખાવી છે...!!
પેલી બહેન કહે...''પણ બાપુ તમારુ વ્રત તુટશે..''
પૂજારી એ કહ્યુ ''વ્રત નહીં તોડુ તો તમારુ દિલ તુટશે...''
વ્રત. ભલે તુટે પણ કોઈ નુ કોમળ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ...
કદાચ એટલે જ તો પોતાની પ્રતિજ્ઞા માં અડગ રહેવા છતાં ભીષ્મ પરમ ગતિ ન પામી શક્યા અને પ્રતિજ્ઞા તોડવા છતાં કૃષ્ણ...જગદ્ ગુરૂ કહેવાયા...

પુરુષ એટલે શું? (Kajal Oza Vaidya) Girls pls pls must read it.


પુરુષ એટલે શું?
(Kajal Oza Vaidya)
Girls pls pls must read it...

પુરુષો વિશે
પુરુષો દ્વારા ઘણું લખાયુ છે.
પણ
જ્યારે એક સ્ત્રી
પુરુષ વિશે લખે
ત્યારે તે
વાસ્તવિકતાની વધુ નજીક હોય છે.

પુરુષ એટલે શું ?

પુરુષ એટલે
પત્થરમાં પાંગરેલી કૂંપળ.

પુરુષ એટલે
વજ્ર જેવી છાતી પાછળ
ધબકતું કોમળ હૈયુ.

પુરુષ એટલે
ટહુકાને ઝંખતુ વૃક્ષ.

પુરુષ એટલે
તલવારની મૂઠ પર કોતરેલું ફુલ.

પુરુષ એટલે
રફટફ બાઇકમાં ઝૂલતું
હાર્ટશેપનું કીચેઇન.

પુરુષ એટલે
બંદુકનાં નાળચામાંથી છૂટતુ મોરપિંછું.

પુરુષ એ નથી
જે ફિલ્મો
કે ટી.વી.માં જોવા મળે છે

પુરુષ એ છે
જે રોજબરોજની ઘટમાળમાંથી આંખ સામે ઉપસી આવે છે.

પુરુષ એમ કહે કે
'આજે મૂડ નથી,
મગજ ઠેકાણે નથી'
પણ
એમ ના કહે
કે
'આજે મન ઉદાસ છે.'

સ્ત્રી સાથે
ઘણી વાતો શેર કરી શકતો પુરુષ
 પોતાના દર્દ શેર નથી કરી શકતો.

સ્ત્રી
પુરુષનાં ખભા પર માથું ઢાળી રડે છે.
જ્યારે પુરુષ
સ્ત્રીનાં ખોળામાં માથુ છૂપાવી રડે છે.

જેમ દુનિયાભર ની સ્ત્રીઓને
પોતાના પુરુષનાં શર્ટમાં બટન ટાંકવામાં રોમાંચ થાય છે
એ જ વખતે
એ સ્ત્રીને ગળે લગાડી લેવાનો રોમાંચ પુરુષોને પણ થતો હોય છે.

હજારો કામકાજથી ઘેરાયેલી સ્ત્રી જ્યારે પુરુષને વાળમાં હાથ ફેરવી જગાડે છે
ત્યારે
પુરુષનો દિવસ સુધરી જાય છે.

જીતવા માટે જ જન્મેલો પુરુષ
 પ્રેમ પાસે હારી જાય છે
અને જ્યારે એ જ પ્રેમ
એને છોડી જાય
ત્યારે
તે મૂળ સોતો ઉખડી જાય છે.

સ્ત્રી સાથે સમજણથી છૂટો પડતો પુરુષ તેનો મિત્ર બનીને રહી શકે
 પણ...
બેવફાઇથી ત્યજાયેલો પુરુષ કચકચાવીને દુશ્મની નિભાવે છે.

ધંધામા
કરોડોની નુકશાની ખમી જાતો પુરુષ
ભાગીદારનો દગો ખમી નથી શકતો.

સમર્પણ એ સ્ત્રીનો
અને
સ્વીકાર એ પુરુષનો સ્વભાવ છે
 પણ
પુરુષ જેને સમર્પિત થાય
એનો સાત જન્મ સુધી સાથ છોડતો નથી.

પરણવું અને પ્રેમ કરવો
એ સ્ત્રી માટે એક વાત હોઇ શકે,
 પુરુષ માટે નહી.

એક જ પથારીમાં
અડોઅડ સૂતા બે શરિરો વચ્ચેની અદ્ર્શ્ય દિવાલ નીચે પુરુષ ગુંગળાતો રહે છે
પણ ફરિયાદ કરતો નથી.

પુરુષને સમાધાન ગમે છે,
 પણ
જો એ સામે પક્ષેથી થતુ હોય તો.

ગમેતેવો જૂઠો, લબાડ ,ચોર, લંપટ, દગાખોર પુરુષ પણ પોતાના પરિવાર સાથે સરળ સદગૃહસ્થ જ હોય છે.

સ્ત્રીનું રુદન
ફેસબૂકની દિવાલને ભિંજવતું હોય છે
પણ પુરુષનું રુદન
એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી..!

કહેવાય છે કે
'સ્ત્રીને ચાહતા રહો સમજવાની જરુર નથી'
હું કહુ છુ
પુરુષને બસ.. સમજી લો..
 આપોઆપ ચાહવા લાગશો..🍀🍂🍂🍂🍂🍂🍂🌹

➖➖➖➖➖➖➖➖➖➖➖ 💥 *MEGA-COLLECTION OF UPACHARATMAK MATERIAL* 💥 ➖➖➖➖➖➖➖➖➖➖➖


➖➖➖➖➖➖➖➖➖➖➖

💥 *MEGA-COLLECTION OF UPACHARATMAK MATERIAL* 💥
➖➖➖➖➖➖➖➖➖➖➖
*1⃣  ઉપચારત્મક કાર્ય માટે ખુબ જ ઉપયોગી શબ્દો/વાક્યો ની FILE*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/most-useful-vachan-lekhan-file.html

*2⃣ વિવિધ સ્થિતિ માટે આંકડાકીય માહિતી માટે તૈયાર EXCEL SHEET(શિક્ષકો,આચાર્ય,સી.આર. સી,બી,આર.સી માટે ઉપયોગી ખાસ)*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/1716-15716-vagere-aankdakiy-mahiti-apva.html

*3⃣ વાંચન/લેખન માટે ઉપયોગી બારાક્ષરી પ્રમાણે 3000++ સબ્દોની ફાઇલ*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/upcharaak-mujab-3000-word.html

*4⃣ ઉપચારત્મક (જુલાઈ/ઓગસ્ટ) નું ડે ટુ ડે *નવું આયોજન* (ખાસ ઉપયોગી)*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/upcharatmak-shikshan-karya-ma-std-6-8.html

*5⃣ કાના માત્રા વગરના સબ્દો/વાક્યોની અગત્યની બે ફાઇલ*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/kanamatra-vagara-na-sabdo.html

*6⃣ અ, આ,ઈ વગેરે માટે ઉપયોગી વાંચન/લેખન માટે ફાઇલ*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/aa-e-vada-sabdo-ane-vakyo.html

*7⃣વાંચન/ગણન/લેખન આંકડા નોંધવા માટે તૈયાર શિક્ષકો માટે*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/vanchangananlekhan-printable-pdf-balk.html

*8⃣ આ સિવાય ઘણી ઉપયોગી ફાઇલ*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/kanamatra-vada-sabdo-ane-vakyo.html

*9⃣ उपचारात्मक वर्ग बालकों ना मूल्यांकन नी ओटोमेटिक ऐक्सल फाइल जेमा बालकों नाम सामे गुण लखता ज 0-10 मुजब तारीज तैयार थइ जशे - आ साथे एक ज पेज मां 31-8-16 सुधी नु मूल्यांकन पत्रक पीडीएफ & जीपीइजी*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/upcharatmak-varg-students-mulyankan.html

*1⃣0⃣ उपचारात्मक वर्ग माटे उपयोगी - धोरण -2-4 गणित नी पीडीएफ फाइल -पेज -53 डाउनलोड करो. थेंक्स - पंकजभाइ*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/ganit-std-2-4-mate-upayogi-pdf-copy.html

*1⃣1⃣ उपचारात्मक वर्ग माटे उपयोगी - धोरण -5-8 गणित नी पीडीएफ फाइल -पेज -53 डाउनलोड करो. थेंक्स - पंकजभा*
👉🏼http://alpeshparmar123.blogspot.com/2016/07/ganit-std-5-8-mate-upayogi-pdf-copy.html

*ADD 9726905874 NUMBER IN UR GROUPS FOR LATEST UPDATES*

*🙏🏼SHARE UR ALL GROUPS🙏🏼*

સોમવાર, 1 ઑગસ્ટ, 2016

positive attitude


એક યુવાન જીવનથી ખુબ કંટાળેલો હતો. સુખ સુવિધાના તમામ સાધનો હોવા છતાં પણ નિરાશા અને હતાશા એને સતત પરેશાન કરી રહી હતી. એક દિવસ એ કોઈ વિદ્વાન માણસને મળવા ગયો અને પોતાના જીવનની બધી જ વાતો આ વિદ્વાન માણસને કરીને નીરશા-હતાશાને દૂર કરવાનો ઉપાય બતાવવા માટે વિનંતી કરી.

 વિદ્વાન માણસે કહ્યું, “ભાઈ ઉપાય તારી પોતાની પાસે જ છે અને તું ઉપાય જાણવા માટે ભટકી રહ્યો છે.” પેલા માણસે વિદ્વાનને પ્રશ્ન કર્યો, “એ વળી કેવી રીતે?” વિદ્વાને કહ્યું, “તમે મોબાઈલનો ઉપયોગ કરો છે કે નહિ?” સામે તુરંતજ જવાબ મળ્યો, “અરે મોબાઈલ વાગે કેવી રીતે જીવી શકાય ! હું એક નહિ ત્રણ ત્રણ મોબાઈલ રાખું છું.”

વિદ્વાને આ વાતને આગળ વધારતા કહ્યું, “આ તમારા મોબાઈલમાં કોઈના મેસેજ આવે તો પછી તમે શું કરો? એ બધા જ મેસેજને સાચવીને રાખો ખરા ?” પેલા માણસે કહ્યું, “ના મહારાજ, બધા જ મેસેજ કામના નથી હોતા,  અમુક તો સાવ ફાલતું હોય એને તો વાંચ્યા વગર જ ડીલીટ કરી નાખું. જો સારા મેસેજ હોય તો મિત્રોને ફોરવર્ડ કરું અને કેટલાક મેસેજ તો ખુબ જ સારા હોય તો એને સાચવીને રાખું અને નવરાશના સમયે એને ફરી ફરીને વાંચું.”

વિદ્વાન માણસે યુવાનનો હાથ પકડીને કહ્યું, “ભાઈ આ મેસેજની જેમ આપના જીવનમાં પણ રોજ-બરોજ અનેક ઘટનાઓ બનતી રહે છે. જે ઘટનાઓ સાવ ફાલતું હોય તેને તરત જ ડીલીટ કરી દેવી. જે ઘટના સારી હોય એ આપણા પુરતી માર્યાદિત ન રાખતા મિત્રો વચ્ચે વહેચવી અને કેટલીક ઘટનાઓ એવી હોય કે જેને હદયના ઊંડા ખૂણે સાચવીને રાખી મુકવી અને નવરાશના સમયે એ ઘટનાઓને વાગોળવી.”

મિત્રો, આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરીએ જ છીએ મોબાઈલમાં આવતા ફાલતું મેસેજને તુરંતજ ડીલીટ કરી નાખનારા આપણે બધા જીવનની ફાલતું ઘટનાઓને કેમ સેવ કરીને રાખીએ છીએ? અને જે સેવ કરવા જેવી ઘટનાઓ છે એને ડીલીટ કરી નાખીએ છીએ. કોઈ બાળકે આપેલું સ્મિત ભૂલી જાય છે અને કોઈએ આપેલી ગાળ જિંદગીભર યાદ રહે છે.

દૂર કરો જીવનની બધી નકામી ઘટના,
થાય જેનાથી દુઃખ ન કરો એની રટના .

ભારતીય ચેતના... – એ.પી.જે. અબ્દુલ કલામ



ભારતીય ચેતના... – એ.પી.જે. અબ્દુલ કલામ
(દેશભરના શાળા, કૉલેજ કે વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને પુછાયેલા ખૂબ રસપ્રદ અને રોચક પ્રશ્નોનું સંકલન..)
[1] અમારી વિનંતી છે કે આપ અમને બધાને કશોક પ્રેરણાત્મક સંદેશો આપો. (જ્યોતિ, ડી.એ.વી. સ્કૂલ, ચંદીગઢ.)
મારા પાસે આપણા દેશના યુવાનોને આપવાનો સંદેશ છે – બધા જ યુવાનો પાસે અદમ્ય ચેતના હોવી જોઈએ. આ અદમ્ય ચેતનાનાં બે પાસાં છે. એક, તમારા પાસે ધ્યેય હોવું જોઈએ અને પછી તેના માટે સખત કામ કરવાનું છે. બીજું, કામ કરતા હો, ત્યારે તમારે કેટલાક પ્રશ્નોનો જરૂર સામનો કરવો પડશે. આવા સંયોગોમાં, આ પ્રશ્નોને તમારા માલિક બનવા ન દેશો. તેને બદલે તમે જ તેના માલિક બનજો, તેને પરાજિત કરજો અને સફળ થજો. સદનસીબે, આપણા દેશ પાસે યુવાધન બહોળું છે. યુવાનોનાં પ્રજ્જ્વલિત મગજો બીજાં કોઈ પણ સંસાધન કરતાં વધારે મહાન સંસાધન છે. જ્યારે આ પ્રજ્જ્વલિત મગજો કામ કરે છે, અને અદમ્ય ચેતના સાથે, તો સમૃદ્ધ સુખી અને સલામત ભારત થવાની ખાતરી છે.
[2] હું એક અગિયાર વર્ષની છોકરી છું. રાષ્ટ્રની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં હું શું ફાળો આપી શકું ? (રતાક્ષી, ડી.પી.એસ. ઈબ્તિદા શિક્ષા કેન્દ્ર.)
તારું પહેલું કામ તો સરસ રીતે ભણવાનું છે અને અભ્યાસમાં ઉત્તમ બનવાનું છે. જો તારી પાસે વૅકેશનમાં સમય હોય, તો તું જેઓ વાંચી-લખી નથી શકતા તેવા બે લોકોને ભણાવી શકે. તું તારા પડોશમાં કે શાળામાં બે વૃક્ષ વાવી શકે અને ઉછેરી શકે. તું પાણી અને ઊર્જાનો બગાડ અટકાવી શકે. આસપાસના પર્યાવરણને સ્વચ્છ અને લીલું રાખવામાં તું તારાં કુટુંબીજનોને મદદ કરી શકે.
[3] આખરે આ ‘જીવન’ છે શું ? તેનો સાર શું છે ? માણસ સુખથી જીવી શકે માટે તેણે જીવનનો કયો અર્થ સ્વીકારવો જોઈએ ? (વરુણ યાદવ, ઓસ્માનિયા મેડિકલ કૉલેજ, હૈદ્રાબાદ)
જીવનનો સાર છે પ્રેમ અને બધા સાથે કોઈ પણ ભેદભાવ વિના પ્રેમથી વર્તન કરવું. આ જ નિશ્ચિત કરશે કે માનવજીવનમાં સુખ છે. કલ્પના કરો કે સામાન્ય રીતે માનવજીવન લગભગ 27,000 દિવસોનું છે. દરેક દિવસ આપણા જીવનનો એક નાનકડો હિસ્સો જ છે. દરેક દિવસને એક કીમતી મોતી ગણી 27,000 દિવસનો એક હાર બનાવો. એનો અર્થ એ કે તમારે દરેક દિવસનો સમાજને ઉપયોગી થવાના હેતુ સાથે ઉપયોગ કરવો પડશે. તેમ જોશો કે આપવાથી જ સુખ આપોઆપ તમારી પાસે આવશે.
[4] શું વધારે જરૂરી છે, નસીબથી મળેલ સદભાગ્ય કે સખત શ્રમ ? (જોશી ભૂમિ, કોટક કન્યા વિનય મંદિર, રાજકોટ.)
સખત મહેનત પ્રથમ આવે. જો તમે સખત કામ કરવામાં સાતત્ય જાળવશો, તો નસીબ તમારી તરફેણ કરશે. એક જાણીતું વાક્ય છે : ‘જેઓ પોતાને મદદ કરે છે, તેમને જ ઈશ્વર મદદ કરે છે.’
[5] આપ અમને ‘સમય સંચાલન’ વિશે થોડા ઉપાયો બતાવશો ? (માસ્ટર મહમદ, ગાઝી, એસ.ટી.એસ. હાઈસ્કૂલ, અલીગઢ)
તમે બધા જ જાણો છો કે પૃથ્વી રોજ પોતાની ધરી પર એક વાર ફરે છે. એટલે કે દિવસમાં એક વાર અથવા તો 1440 મિનિટોમાં અથવા તો 86400 સેકન્ડોમાં. એ જ રીતે પૃથ્વી સૂર્યની આસપાસ પણ ઘૂમે છે અને તે ચક્કર લેતાં તેને એક વર્ષ લાગે છે. સૂર્ય આસપાસ પૃથ્વીનો એક આંટો પૂરો થતાં તમારી ઉંમર એક વર્ષ વધે છે. સેકન્ડો, મિનિટો, કલાકો, દિવસો અને વર્ષો દોડ્યાં જાય છે અને આપણું તેના પર જરા પણ નિયંત્રણ નથી. સમય દોડ્યો જતો હોય ત્યારે આપણે તો માત્ર એટલું કરી શકીએ કે આપણે આ સમયનો સદઉપયોગ કરી શકીએ. યાદ રાખો : ‘તમારા દિવસો જરા પણ વેડફાવા ન જોઈએ.’


[6] મહાન લોકોને સાંભળવા ખરેખર પ્રેરણાદાયી હોય છે. પણ મોટા ભાગના મહાન લોકો સામાન્ય લોકો માટે પહોંચની બહાર હોય છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો કોઈ માર્ગ છે ખરો ? (મંજિમા સાઈકીયા, કમલા નહેરુ કૉલેજ, ન્યુ દિલ્હી.)
આ મહાન લોકો તથા તેમના વિચારો વિશે તમે તેમનાં પુસ્તકો વાંચીને, ઈન્ટરનેટ દ્વારા કે તમારા શિક્ષકોને તેમના વિશે પૂછી જાણી શકો.
[7] આજના જગતમાં જ્યાં માર્કસ જ આપણા વિકાસ અને ચારિત્ર્યનો અરીસો મનાય છે, ત્યાં સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિનું શું સ્થાન હોઈ શકે ? (વિશ્વનાથન સંગીતા એસ. સેંટ મેરી સ્કૂલ, રાજકોટ)
માર્કસ તો એક ચોક્કસ વિષયમાં મેળવેલ જ્ઞાનના માત્ર સૂચક છે. તે કંઈ ચારિત્ર્યના માપદંડ નથી. એક જવાબદાર નાગરિક તરીકે તમારા વિકાસ માટે સારા માર્કસ સાથે સારાં નૈતિક મૂલ્યો અને વર્તનને પણ જોડવાનાં છે.
[8] આપ રૉકેટ ઉડ્ડયન અને આકાશવિજય સાથે નજીકથી સંકળાયેલા છો. આપ શેને વધારે સાર્થક માનો છો – આકાશ પર વિજય મેળવવાનું કે મન પર વિજય મેળવવાનું ? (અભિલાષ કે, મુંબઈ)
મારી અભિલાષા ક્યારે પણ આકાશ કે મન જીતવાની રહી નથી. મારો હેતુ તો હંમેશાં એક માનવના બળનો અને તેનાં મનની શક્તિનો દેશની પ્રગતિ માટે કેમ ઉપયોગ કરવો તે રહ્યો છે.
[9] આપ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે આપની ભાવનાઓ શું હતી અને તે પળે આપે કોને યાદ કર્યા ? (પાર્વતી, સિકંદરાબાદ)
લોકોએ મારામાં જે વિશ્વાસ મૂક્યો તેણે મને ગદગદ કરી નાખ્યો. મને થયું કે મારાથી તેમને નિરાશ તો નહીં જ કરી શકાય, અને મેં મારી જાતને ભારતને વિકસિત દેશ બનાવવા માટેનાં દર્શનને સિદ્ધ કરવા ભારતીય બૌદ્ધિકોને એક કરવાનાં મારાં કામ માટે પુનઃ સમર્પિત કરી. મેં મને મારા જીવનના વિવિધ તબક્કાઓના મિશનમાં મારાં માતા, પિતા, શિક્ષકો અને જે બધાએ મદદ કરી હતી, તે બધાને યાદ કર્યા હતા.
[10] આપ તો વિજ્ઞાન અને ટૅકનોલોજીની પૃષ્ઠભૂમિમાંથી આવતા હતા અને ભારતના રાષ્ટ્રપતિની ઑફિસની જે સન્માનજનક જગ્યા છે, તે જોતાં આપ રાષ્ટ્રપતિ તરીકે ખરેખર હળવાશ કે પોતીકાપણું અનુભવતા હતા ? હું આ એટલા માટે પૂછું છું, કારણ કે સંસદમાં જે લોકો છે, જેઓ પાસે ત્યાં પહોંચવા ગુનાખોરીનો જે રેકોર્ડ છે, એની સામે બીજી બાજુ આપ પર્યાવરણના વૈજ્ઞાનિક છો, આ વિરોધાભાસી બાબતે આપે ક્યારેક તો પરેશાની અનુભવી જ હશે. (વિનયદીપક એચ.એસ., ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગ્લોર.)
તમારા પ્રશ્નથી મને 2200 વર્ષ પહેલાં થયેલ સંત કવિ તિરુવલ્લુવરે કહેલ એક જાણીતી પંક્તિની યાદ આવે છે. તે કહે છે – નદી, ઝરણું કે તળાવનું જે કંઈ પણ ઊંડાણ હોય, પાણીની પણ જે સ્થિતિ હોય, કમળ તો હંમેશ પ્રગટે જ છે અને ખીલે જ છે. તે જ રીતે, જો ધ્યેય સિદ્ધ  વા એક ચોક્કસ દઢતા હોય, ભલે તે સિદ્ધ કરવું અશક્ય પણ લાગતું હોય, છતાં તમે સફળ થશો જ.


[11] એક વિખ્યાત વિજ્ઞાની બનવા આપે ક્યાંથી પ્રેરણા મેળવી ? (સ્મૃતિ, કેન્દ્રિય વિદ્યાલય, આર.કે. પુરમ, ન્યુ દિલ્હી)
ત્રણ લોકોએ મને જીવનમાં પ્રેરણા આપી અને મને એક મિશન આપ્યું. પહેલા હતા રામેશ્વરમાં મારી શાળાના પાંચમા ધોરણના શિક્ષક. તેમનું નામ હતું શિવસુબ્રમણ્યમ ઐયર. તેમણે મને જીવનમાં ઉડ્ડયન વિશે બધું જ શીખવાનું મિશન આપ્યું. મારા જીવનમાં બીજી જે વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા પ્રો. સતીશ ધવન જેમણે સમસ્યાઓને આપણી માલિક કેમ ન બનવા દેવી તે અને ધ્યેય સિદ્ધ કરવા સખત કામ કરવાનું શીખવ્યું. ત્રીજી જે મહાન વ્યક્તિએ મને પ્રેરણા આપી, તે હતા ડૉ. વિક્રમ સારાભાઈ, જેમણે મને ધ્યેય સિદ્ધિનું મહત્વ શીખવ્યું.
[12] જો ઈશ્વર આપના સામે હાજર થાય, તો આપ તેના પાસેથી શું માગશો ? (એસ. અર્ન વેંક્ટ કૃષ્ણા, આલ્ફા ગ્રૂપ ઑફ સ્કૂલ્સ, ત્રિચી.)
હું સર્વશક્તિમાન ઈશ્વરને પ્રાર્થના કરીશ કે તે મારા દેશને સખત કામ કરનારા અને જ્ઞાની લોકો મળે તેવા આશીર્વાદ આપે જે મારા દેશને આર્થિક રીતે વિકસિત બનાવે.
[13] આપ અમને આપના જીવનની એવી પળ વિશે કહી શકો જ્યારે આપે અનુભવ્યું હોય કે આપ નિષ્ફળ ગયા હતા, પણ પાછળથી આપને આપની શક્તિ વિશે અફસોસ થયો હોય ? (પ્રીન્સી, કે.વી. ફાઉન્ડેશન ડે ઑફ ઉરીવી વિક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, દિલ્હી)
એવું ત્યારે બન્યું જ્યારે હું ઈન્ડિયન એરફોર્સમાં ઈન્ટરવ્યૂ માટે ગયો. ત્યાં હું નવમો ઉમેદવાર હતો અને માત્ર આઠ લોકો જ પસંદ થયા. ત્યારે તો હું ખૂબ જ નિરાશ થઈ ગયો, પણ પછી જ્યારે હું દિલ્હી આવ્યો અને ડી.ટી.પી એન્ડ એ.ની ઑફર મારી રાહ જોતી હતી, ત્યારે જ હું મારી નિરાશામાંથી બહાર આવી શક્યો.
[14] હું છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી છું. આપ જ્યારે છઠ્ઠા ધોરણમાં હતા, ત્યારે કેવા હતા ? (સમરિધ સિંહ, દિલ્હી પબ્લિક સ્કૂલ, જોળડા.)
હું તારી ઉંમરનો હતો, ત્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. રામેશ્વરમમાં અમારા કુટુંબ માટે તે ખૂબ મુશ્કેલ સમય હતો. અનાજ અને કપડાં તથા ઘરની વસ્તુઓ લગભગ બધામાં તંગી જ હતી. અમારું મોટું સંયુક્ત કુટુંબ હતું. અમારા કુટુંબમાં પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં જેમાં ત્રણનાં – જેમાં મારા પિતા અને તેમના નાના બે ભાઈઓનાં તો કુટુંબો હતાં. કોઈ પણ સમયે મારા ઘરમાં ત્રણ ઘોડિયાં ઝૂલતાં જ હોય. ઘરનું વાતાવરણ આનંદ અને તકલીફો વચ્ચે બદલાતું રહેતું. મારી દાદીમા અને માતા આ વિશાળ કાફલાને ગમે તેમ કરીને સંભાળતાં.
હું સવારે ચાર વાગ્યે ઊઠતો, સ્નાન કરતો અને મારા શિક્ષક શ્રી સ્વામીયાર પાસે ગણિત શીખવા જતો. તે એક વિશિષ્ટ શિક્ષક હતા અને વર્ષ દરમિયાન મફત ટ્યુશન માટે માત્ર પાંચ વિદ્યાર્થીઓ જ સ્વીકારતા. તેમની એક શરત રહેતી કે ટ્યૂશનમાં આવનાર વિદ્યાર્થીઓ સ્નાન કરે તો જ આવે. મારી મા મારા પહેલાં ઊઠી જતી, પછી મને જગાડતી, મને નહાવામાં અને ટ્યૂશને જવા તૈયાર કરવામાં મદદ કરતી. ટ્યૂશન પતાવી હું પાંચ વાગ્યે પાછો ફરતો. મારા પિતા નમાજે તેડી જવા અને એરેબિક સ્કૂલમાં કુરાને શરીફ શીખવા મને લઈ જવા મારી રાહ જોતા હોય. તે પછી હું ત્રણ કિલોમીટર દૂર આવેલ રામેશ્વર રોડ રેલવે સ્ટેશને છાપાં લેવા જતો. તે વખતે યુદ્ધનો સમય હોવાથી ધ મદ્રાસ ધનુષકોડી મેલ સ્ટેશને થોભતો નહીં અને ચાલતી ટ્રેને પ્લેટફૉર્મ પર છાપાં ફેંકવામાં આવતાં. હું તે છાપાં લઈ લેતો અને રામેશ્વર શહેરમાં તે વહેંચવા જતો. શહેરમાં છાપાં આપનાર હું પહેલો રહેતો. છાપાં વહેંચ્યા પછી હું આઠ વાગ્યે ઘેર આવતો અને મારી મા મને સાદો નાસ્તો આપતી. હું કામ અને અભ્યાસ બન્ને કરતો હોવાથી મને વધારાનો નાસ્તો મળતો. શાળા પૂરી થયા પછી હું સવારે શહેરના જે ગ્રાહકોને છાપાં આપ્યાં હોય તેમના પાસેથી તેના પૈસા લેવા જતો.
[15] જીવને આપને શું શીખવ્યું છે ? (રીમા હેલન, એલ.વી. પ્રસાદ આઈ ઈન્સ્ટિટ્યૂટ, ભુવનેશ્વર.)
જીવન તો એક વહેતો પ્રવાહ છે. દરેક દિવસ વિશિષ્ટ હોય છે અને દરેક પ્રવૃત્તિનો પોતાનો એક પડકાર હોય છે. આપણે આપણાં કામને ચાહતાં શીખવું જોઈએ અને તેની દરેક પળ માણવી જોઈએ...