એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.’ સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા.
ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા .
એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો.
તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો. અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.
આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
આ મહાન ગુરુ-શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ, દ્રોણાચાર્ય-અર્જુન, અતિ વિદ્વાન ચાણકય-ચંદ્રગુપ્ત. સાંદિપની, દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.
” શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે,
જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.”
_સુફિન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો