શનિવાર, 27 ઑગસ્ટ, 2016

મોબાઇલ રેડિયેશનની


દિન-પ્રતિદિન ટેલિકોમ્યુનિકેશન સુવિધામાં વધારો કરવા ગુજરાતભરના શહેર-ગામડાઓમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ હરીફાઇ વચ્ચે ભયજનક રીતે ટાવરોની સંખ્યા વધી રહી છે, ચિંતાની વાત છે કે, કેન્દ્ર સરકારની રેડિયેશન અને પાવર ટ્રાન્સમશિન નોમિનલ વેલ્યુની હળવી નીતિના લીધે હાલ દરેક જગ્યાએ રહેણાક વિસ્તારોમાં મોબાઇલ ટાવરો સ્થપાઇ ગયા છે, જેમાં મોટા ભાગના ટાવરો શરીરને નુકસાન કરતા વિકિરણો ફેંકી રહેણાક વિસ્તારમાં જાણે બિલ્ડિંગના મુગટ સમા મોતના મિનારા બની ઊભા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ભારત સરકારને સુપરત કરાયેલા અહેવાલ મુજબ સામાન્યત: Gફઝ ૯૦૦ બેન્ડ ૯૩૫-૯૬૦ ઝોz ફ્રિકવન્સી પર મોબાઇલ અને ટાવર વચ્ચે થતાં ધ્વનિતરંગોની આપ-લેમાં વધુમાં વધુ ૧-૧.૯૩ ા/ઝ૨ સુધીનો પાવર નોમિનલ છે, ત્યારે ભયજનક બાબત છે કે, હાલ રાજ્યભરમાં સારામાં સારી ઇન્ટરનેટ અને ફોન કોલ સક્ષમ ગુણવત્તા આપવાના બહાને હજારો મોબાઇલ ટાવર એટલે કે મોતના મિનારાઓ નક્કી કરેલી ક્ષમતાથી બમણો પાવર એટલે કે ા/ઝ૨ પાવર ટ્રાન્સ-રિસીવ કરી શરીરમાં યમદૂતોનો સંદેશો લઇ ઘૂસી રહ્યા છે તેમ કચ્છમાં ટાવરોનો કોન્ટ્રાકટ ધરાવતા ઇજનેરે ‘ભાસ્કર’ને જણાવ્યું હતું. જી હા !
.

કેન્‍દ્ર સરકારે એક માર્ગદર્શિકા થકી તમામ રાજયો, મોબાઇલ સેવા આપની કંપનીઓ અને દુરસંચાર વિભાગની ટર્મ સેલ માટે કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. આ દિશાનિર્દેશોમાં રેડિએશન રોકવા માટેની કોઇ વ્યવસ્થા અંગે સૂચના આપવામાં આવી નથી. સરકારે ટેલિકોમ કંપનીઓના હિતોને ધ્‍યાનમાં રાખવા રાજ્ય સરકારોને જ જરૂરી પગલા લેવા સૂચવ્યું છે.
મોબાઇલ ટાવરથી નીકળતા ખતરનાક રેડિએશન પરની તમામ ચિંતાઓને બાજુએ રાખીને ભારત સરકારે ઓપરેટરોના હિતની વ્યવસ્થા ઉભી કરી છે. સરકારે 3જી અને 4જી કનેકશનો માટે મોબાઇલ ટાવરોના રેડિએશનની સીમા બમણાથી વધુ કરવાનો નિર્ણય લીધો છે.
વર્તમાન સમયમાં દેશમાં 450 મિલિવોટ પ્રતિ વર્ગ મીટરની રેડીએશન સીમા છે. જે 3જી તથા 4જી ટાવરો માટે વધારીને 1000 મિલિવોટ પ્રતિ વર્ગમીટર કરી દેવામાં આવી છે. નવી સીમા પહેલી ઓગષ્ટથી અમલી બની ચૂકી છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આમ થવાથી હવે દેશભરમાં રેડિએશન વધશે કારણ કે હવે 3જી અને 4જી ઉપર જ ભાર રાખવામાં આવશે.
નવી ગાઇડલાઇનમાં ટાવર સાથે જોડાયેલી જનતાની સમસ્‍યાઓ એક રાજય સ્‍તરીય સમિતી ઉપર છોડી દેવામાં આવી છે. સમિતીમાં રાજયના વહીવટી અધિકારી, ટર્મ સેલ, ગણમાન્‍ય નાગરિકો અને ઓપરેટરના પ્રતિનિધિઓ સામેલ હશે. જીલ્લા સ્‍તરે પણ એક સમિટી બનાવવામાં આવશે. જેમાં પણ ઓપરેટરના પ્રતિનિધિ હશે. સૂત્રો જણાવે છે કે નવી ગાઇડલાઇનમાં લોકોની ચિંતાને અવગણવામાં આવી છે. મોબાઇલ ટાવર રેડિએશનથી કેન્‍સર સહિતના રોગો થઇ શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો