મોબાઇલ ફોનનું રેડિયેશન ...............................
|| ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન મનુષ્ય શરીર ઉપર કઇ રીતે અસર કરે છે? ||
- મોબાઇલ ફોનનું રેડિયેશન મગજનાં જે ભાગમાં ઉંડે સુધી ઉતરે છે, તે ભાગ ટૂંકાગાળાની યાદશક્તિ સાથે સંકળાયેલા છે. તેની સામેની બાજુનું મગજ હૃદયની ક્રિયાઓ અને બ્લડ પ્રેસર ઉપર નિયંત્રણ રાખે છે. રેડિયેશનથી આ ભાગને નુકસાન પહોચે છે.
- જુન ૧૯૯૮નું 'લાન્સેટ'મેગેજીન કહે છે કે રેડિયેશનથી બ્લડપ્રેસર ૫-૧૦સસ લ્લ૯ વધી જાય છે. જે સ્ટ્રોક કે હાર્ટ એટેકનાં રિસ્કવાળા માટે ૧૦૦ ટકા જોખમી બની શકે છે.
- મોબાઇલ ફોન વાપરનારા અને મોબાઇલ ફોન ટાવર પાસે રહેનારાઓમાં હવે લાંબાગાળે કેન્સરની અસર દેખાવી શરૃ થઇ છે.
- રેડિયેશનનું પ્રમાણ ઓછું હોય તેવાં કિસ્સામાં તેની બાળકો અને માંદા માણસો ઉપર વિપરીત અસર થયેલ જોવા મળી છે.
- અમેરિકન મેડિકલ એસોસીએશનનું જર્નલ દર્શાવે છે કે રેડિયેશનનાં કારણે કોષોમાં રહેલ ગ્લુકોઝની ચયાપચયની પ્રક્રિયા અને મગજના કોષોની સામાન્ય કાર્યવાહીને નુકસાન પહોચે છે.
- જો મોબાઇલ ફોનનું રેડિયેશન, ૫૦ મીટર જેટલું મગજને મળતું રહે તો, મગજની ક્રિયાશીલતાને અસર થાય છે. મગજનાં કોષોમાં ગ્લુકોઝનો ભરાવો થાય છે.
- વૈજ્ઞાાનિક તારણ કહે છે કે બ્રેઇન સેલના ડિએનએ ડેમેજની વ્યાપક અસરો જોવા મળતાં લગભગ ૩૦ વર્ષનો સમય લાગી શકે છે.
- મનુષ્ય કોષોની ઘશછ ડેમેજ દૂર કરવાની પ્રક્રિયા ઘટી જાય તો બેઇન કેન્સર થવાની શક્યતા બમણી થઇ જાય છે.
- શરૃઆતથી જ મગજનાં કોષોનાં ઘશછને નુકશાન થાય તો, (બાળકોમાં ખાસ) મગજનું કેન્સર થવાની શક્યતા ૨૫ ગણી વધી જાય છે.
- મગજનાં કેન્સર ઉપરાંત મોબાઇલ રેડિયેશન એકોસ્ટીક ન્યુરોમાં, લાળગ્રંથીની ગાંઠ, આંખ અને વૃષણકોથળીનું કેન્સર પણ પેદા કરી શકે છે.
- ૧૯૯૫નાં 'બાયોઇલેક્ટ્રો મેગ્નેટીક્સ' જર્નલમાં હેનરીલાઇ અને નરેન્દ્ર પી.સીંગ જણાવે છે કે ''અમેરિકન સરકાર જેને સલામત ગણે છે તેવાં માઇક્રોવેવ રેડિયેશન માત્ર બે કલાકમાં જ કોષમાં રહેલ ઘશછને નુકસાન પહોચાડે છે.''
- પ્રયોગશાળામાં રાખેલ કોષોમાં ૦.૩૦ થી ૨.૦ વોટ/કી.ગ્રા. રેડિયેશનની અસરથી ઘશછ ડેમેજ થાય છે અને કોષ વિભાજનની પ્રક્રિયા ખુબ જ ઝડપી બને છે. (જો તે નિયંત્રણમાં ન રહે તો કેન્સર થયું ગણાય.)
- એક અભ્યાસ પ્રમાણે દરરોજ મગજ ત્રણ કલાક મોબાઇલનાં સંપર્કમાં રાખવાથી માત્ર આઠ મહિનામાં મગજમાં રહેલ ૧૪૩ પ્રકારનાં પ્રોટીનને નેગેટીવ અસર થાય છે.
|| મોબાઇલ ફોન અને બાળકો ||
પ્રયોગોમાં જોવા મળ્યું છે કે પુખ્ત વયની વ્યક્તિ કરતાં બાળકોનાં શરીર ઉપર મોબાઇલ ફોન રેડિયેશનની સૌથી વધારે અસર પડે છે. સિડર-સિનાઇ હોસ્પિટલનાં ન્યુરોલોજીસ્ટ ડૉ.કેથ બ્લેક કહે છે કે ''બાળકોના શરીરમાં વૃદ્ધિ કરવા માટે કોષ વિભાજન ખુબ જ ઝડપથી થાય છે. કોષ વિભાજન સમયે મળતું રેડિયેશન કોષોને નુકસાન પહોચાડી શકે છે.'' બાળકોની ખોપરીની જાડાઇ ઓછી હોવાથી રેડીયેશન મગજનાં મધ્યભાગ સુધી પહોચી શકે છે.રેડિયેશનનાં સતત સંપર્કથી કોષોનું તાપમાન વધે છે. તાપમાનનો વધારો પ્રોટીન બંધારણને નુકસાન પહોચાડી શકે છે. રેડિયેશનનાં કારણે કોષ વિભાજનની પ્રક્રિયા પણ ઝડપી બને છે. ઉંદર ઉપરનાં પ્રયોગોમાં જોવા મળ્યું છે કે સતત રેડિયેશનનાં સંપર્કમાં રહેતા ઉંદરનાં મગજનાં કોષોમાં પ્રોટીન છુટંુ પડીને જમા થવા લાગે છે. શરૃઆતથી જ બાળકોનાં કોષોમાં રહેલ ડિએનએ ડેમેજ થવા લાગે તો ૨૦/૩૦ વર્ષના સમયગાળા બાદ, તેની ગંભીર અસરો જોવા મળી શકે. બાર વર્ષથી નીચેના બાળકોને મોબાઇલ ફોન આપવો ખુબ જ જોખમી ગણાય.
|| મોબાઇલ રેડિયેશનથી બચવા શુ કરશો ? ||
- મોબાઇલ ઉપર ટૂંકી અને જરૃર પુરતી વાત કરો.
- મોબાઇલ ફોનને કાનથી લગભગ અડધો ઇંચ દૂર રાખો. લાંબી વાત કરો તો, કાન બદલતા રહો.
- જ્યારે મોબાઇલ સીગ્નલ 'વિક'હોય ત્યારે વાત ન કરો. વિક સીગ્નલ વખતે ફોન વધારે રેડિયો ફ્રિકવન્સી રીલીઝ કરે છે.
- ફોનનું એન્ટેના શરીરથી દૂર રાખો. કી પેડનાં પાછળના ભાગમાંથી ફોન ઇલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ રચે છે. ગજવામાં ફોન મૂકો ત્યારે કી.પેડ વાળો ભાગ શરીર બાજુ રાખો.
- 'પ્રાઇવસી' પ્રોબ્લેમ ન હોય તો ફોનને 'સ્પીકર' પર રાખી દૂરથી વાત કરો.
- મોબાઇલ દૂર રાખી, હેન્ડસફ્રી હેડફોન, ઇયરપ્લગ ભરાવીને વાત કરો.
- બાળકોને મોબાઇલ ફોન ઉપર વાત ન કરવા દો. તેમને મોબાઇલ ફોનથી દૂર રાખો.
- ઘરે કે ઓફીસમાં હો ત્યારે લેન્ડલાઇન ફોનથી વાત કરવાનું જ પસંદ કરો.
- મોબાઇલ ફોનને તમારા ખીસ્સામાં ન રાખતાં, બેગ અથવા પર્સમાં રાખવાની ટેવ પાડો.
- એક જ રૃમમાં બેઠેલી વ્યક્તિઓએ એક સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરવી જોઇએ નહી.
- એર્ક્સટનલ એન્ટેના લગાવેલું ન હોય તો, કારમાં મોબાઇલ ફોન વાપરવો જોઇએ નહી.
- તમારા કરતાં અન્ય વ્યક્તિ મોબાઇલ ફોન રેડિયેશન પ્રત્યે વધારે સેન્સેટીવ હોઇ શકે છે. જાહેર સ્થળો, અને પબ્લીક ટ્રાન્સપોર્ટ સીસ્ટમમાં મોબાઇલ ફોન બંધ રાખી અન્યનાં સ્વાસ્થ્યનો ખ્યાલ રાખી શકાય.
|| મોબાઇલ ફોન મગજને 'મકાઇ ડોડા' માફક શેકી રહ્યો છે !! ||
મોબાઇલ ફોન કહો કે સેલફોન. ટેકનોલોજીની આ એવી શોધ છે કે ઇકોનોમી પીરામીડના બોટમ સુધી પહાંેચી ગઇ છે. ભિખારીથી માંડીને સંસાર, મોહ બધાનો ત્યાગ કરી ચુકનાર સન્યાસીનાં હાથ સુધી પહોચી ગયો છે. હાથમાં પકડીને ગમે ત્યાં લઇ જઇ શકાય તેવો હેન્ડ હેલ્ડ મોબાઇલ ફોન ૧૯૮૩માં શોધાયો અને ખરી લોકપ્રિયતા ૧૯૯૦ પછી પ્રાપ્ત થઇ. ૧૯૯૦માં વૈશ્વિક ધોરણે ૬૦ લાખ સેલફોન હતાં તે આજની તારીખે અબજની સંખ્યાએ પહોચી ગયા છે.
મોબાઇલ ફોનનાં ઐતિહાસિક પગલાં એનાથી વધારે ભુતકાળમાં જાય છે. જર્મનીમાં રેડિયોફોન એટલે આજનાં મોબાઇલ ફોનનાં પૂર્વજો ઉપર ૧૯૧૮થી સંશોધન શરૃ થયા હતા. ટ્રેનમાં મુસાફરી કરનારાં ફર્સ્ટ કલાસનાં પેસેન્જરને ટેલીફોન સેવા પૂરી પાડવા રેડિયો તરંગોનો ઉપયોગ કરી ફોન તૈયાર કરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટરનાં પૂર્વજો જેવા મેઇનફ્રેમ કોમ્પ્યુટર જેમ વિશાળકાય અને મોટા ઓરડામાં સમાવવા પડે તેવા હતા. બસ એજ રીતે રેડિયોફોન તોતીંગ અને વજનદાર હતા. એમ કહો કે એક છેડે વાયરલેસ ઉપકરણ દ્વારા બીજા છેડે આવેલ વાયરલેસ ઉપકરણ કે લેન્ડલાઇન ફોન ઉપર વાત કરી શકાતી હતી. કારમાં લઇને હરીફરી શકાય તેવો મોબાઇલ ફોન, બેલ સીસ્ટમ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો અને પ્રથમ મોબાઇલ કોલ ૧૯૪૬માં કારમાંથી કરવામાં આવ્યો હતો.
૧૯૪૬માં જ શિકાગોની બેલ ટેલિફોન કંપનીએ વેક્યુમ ટયુબ, મેગ્નેટીક રિલે અને બીજા સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનીક્સ પૂરજાઓ વડે બનેલ કાર રેડિયોટેલિફોન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ ફોનનું વજન ૩૬ કિ.ગ્રા. જેટલું હોવાથી આખેઆખું ઇન્સ્ટ્રુમેન્ટ લઇને તે હરવું-ફરવું મુશ્કેલ થઇ પડે તેમ હતું. હાથમાં ઉચકી શકાય, સાથે લઇને હરીફરી શકાય તેવાં ખરા અર્થમાં મોબાઇલ ફોન બનાવવાનાં ખ્યાલ, સાયન્સ ફિક્શન ''સ્ટ્રાર ટ્રેક''જોઇને મોટોરોલા કંપનીના ઇલેક્ટ્રીક ઇજનેર માર્ટીન કુપરે જોયા હતા. પોતાના સાથીદાર જ્હોન એફ મિશેલ સાથે મળીને ૧૯૭૩માં દુનિયાનો પ્રથમ 'હેન્ડહેલ્ડ મોબાઇલ ફોન' માર્ટીન કુપર અને જ્હોન મિશેલે શોધી કાઢ્યો હતો. જો કે હાથમાં ઉચકી શકાય તેવા આ ફોનનું વજન પણ એક કિલોગ્રામ જેટલું હતું. ૧૯૭૩ થી મોબાઇલ ફોનની ઉત્ક્રાંતિ શરૃ થઇ અને મોબાઇલ ફોન સંકોચાતા ગયા છે અને શક્તિશાળી બનતાં ગયા છે. સાથે સાથે એક સમસ્યાને જન્મ પણ આપ્યો છે, જેને કહે છે. ''મોબાઇલ રેડિયેશન.'' માઇક્રોવેવ ઓવેનમાં જે ''માઇક્રોવોસ
'' દ્વારા રસોઇની કાચી સામગ્રી રંધાઇ જાય છે. બસ એજ પ્રકારના માઇક
મોબાઇલ રેડિયેશન ખતરનાક છે તેની પરોક્ષ સાબિતીઓ.||
- પ્રખ્યાત વિમા કંપની 'લોઇડ્સ' દ્વારા મોબાઇલ ફોન ઉત્પાદકોને, મોબાઇલફોનથી થતાં સ્વાસ્થ્યના નુકસાનને ભરપાઇ કરવાનાં પ્રોડકટ લાયાબીલીટી કવર આપવાની વાત ફગાવી દીધી છે.
- બ્રિટનની સરકારે સ્વીકાર્યું છે કે મોબાઇલ ફોનનાં ઉપયોગથી મગજની ક્રિયાઓને અસર થાય છે.
- હેલ્થ પ્રોડકટસ એજન્સીનાં ચેરમેન, સર વિલીયસ સ્ટુઅર્ટ આઠ વર્ષથી નાના બાળકો માટે મોબાઇલ ફોન વાપરવા ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે.
- મોબાઇલ ફોનનાં ટાવર કરતાં મોબાઇલ ફોન ૧૦૦૦થી ૧૦૦૦૦ ગણું વધારે રેડિયેશન પેદા કરે છે.
- બ્રિટનની કંપનીએ બાળકો માટે ડિઝાઇન કરેલાં ખાસ મોબાઇલને સરકારે રજુ કરેલ હેલ્થ રીપોર્ટ બાદ બજારમાંથી પાછા ખેંચી લીધા છે.
- જાણીતા વૈજ્ઞાાનિકોએ મોબાઇલ ફોનનાં ઉપયોગમાં ઘટાડો કરી નાખ્યો છે.
- મોબાઇલ ફોન વાપરનારને ઘણીવાર માથાનો દુખાવો, થાક, માથું ભારે લાગવું કે ગરમ થઇ ગયાનો અનુભવ થાય છે.
- ૧૯૯૫માં પ્રમુખ બીલ ક્લીન્ટને સ્કૂલ કે રહેણાંકનાં વિસ્તારમાં મોબાઇલ ટાવર લગાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
|| મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન ||
મોબાઈલ ફોનમાંથી નીકળતાં રેડિયેશન માનવ શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ રેડિયેશનને લીધે બહેરાશ આવવી, યાદશક્તિ ઘટવી, ગર્ભાશયને નુકસાન. ટયુમર તેમજ કેન્સર જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આ રેડિયેશનની અસરથી બચવા માટે આ 8 પદ્ધતિઓ બેસ્ટ છે જેનાથી મોબાઈલ ફોનમાંથી નીકળતા રેડિયેશનની આપણા સ્વાસ્થ્ય પર પડતી હાનિકારક અસરને પણ ઘણી હદે ઘટાડી શકાશે.
1. ફોન ખરીદતા પહેલાં તેના રેડિયેશન લેવલ અંગે જાણકારી મેળવો. તે માટે જે તે ફોનની માર્ગદર્શક પુસ્તિકા, ઇન્ટરનેટ કે તજજ્ઞોની સલાહ લેવી જોઈએ.
2. ઇયરફોનનો ઉપયોગ કરો. જેથી હેન્ડસેટ શરીરથી દૂર રહેશે. શક્ય હોય તો સ્પીકર મોડનો ઉપયોગ કરવો સૌથી વધુ હિતાવહ છે. આમ કરવાથી રેડિયેશનની અસર મગજ સુધી નહીં પહોંચે. વળી ફોનમાં બ્લુટુથની સુવિધા હોય તો એટલું ધ્યાનમાં રાખવું કે, બ્લ્યુટુથને લીધે હળવી માત્રામાં રેડિયેશન સતત ઉત્પન્ન થતું રહે છે. એટલે જરૂર ન હોય તો ઇયર ફોન કાનથી દૂર રાખવા.
3. મોબાઈલમાં ટાવર બરાબર ન મળતાં હોય ત્યારે ટાવર પકડવા માટે મોબાઈલ ફોન વધારે માત્રામાં રેડિયેશન બહાર ફેંકે છે. એટલે પૂરા ટાવર પકડાતા હોય ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ.
4. મોબાઈલમાંથી નીકળતા રેડિયેશનની અસર ઓછી કરવા રેડિયેશન શિલ્ડનો ઉપયોગ કરવો જોઈએ. જે એન્ટેના કવર કે કીપેડ કવરના રૂપમાં મળે છે. જે રેડિયેશનની તીવ્રતા ઓછી કરી નાંખે છે.
5. પુખ્ત વ્યક્તિની સરખામણીમાં બાળકોને મોબાઈલના રેડિયેશન બેવડું નુકસાન પહોંચાડે છે એટલે બાળકોથી મોબાઈલ દૂર રાખવો શાણપણ ગણાય. બાળકો લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધારે કરે તેવા પ્રયત્નો કરવા જોઈએ.
6. વાત કરતી વખતે મોબાઈલને શરીરથી શક્ય એટલો દૂર રાખવો જોઈએ. તેને ખિસ્સામાં, કાનની નજીક કે કમરપટ્ટા પર બાંધી ન રાખવો.
7. સૂતી વખતે મોબાઈલને શક્ય તેટલો દૂર રાખવો. તકિયા નીચે કે સાવ બાજુમાં મોબાઈલ ન રાખવો. જો મુખ્યમંત્રી,વડાપ્રધાન કે રાષ્ટ્રપતિનો અડધી રાત્રે ફોન આવવાનો હોય તો બાજુમાં ફોન લઇ સૂઈ જાવ તો અલગ વાત છે.
8. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, તમે ફોન પર વાત કરો કે કોઈ મેસેજ મોકલો તો રેડિયેશનના અસર થવાની શક્યતા વધારે રહે છે. જ્યારે ફોન પર વાત સાંભળતા હોવ કે કોઈનો મેસેજ તમારા ફોન પર આવે તે સ્થિતિમાં રેડિયેશનની અસર ઓછી થાય છે. એટલે જ આપણા વડવાઓની વાત મોબાઈલ ફોનના કિસ્સામાં પણ એટલી જ ઉપયોગી છે કે “ઓછું બોલો અને વધારે સાંભળો.”
|| રેડિયેશન એટલે શું? ||
* જાપાનમાં આવેલા સુનામીના પગલે ફુકુશિમા ન્યુકિલઅર પાવર પ્લાન્ટમાં ઉદભવેલી ખામીને કારણે રેડિયેશનનો ભય માત્ર જાપાન જ નહીં પણ રશિયાના અમુક વિસ્તારો અને ફેલિફોર્નિયા સુધી જોવા મળ્યો હતો. રેડિયેશન એટલે શું? તે કેવી રીત કામ કરે છે અને તેનાથી થતા ફાયદા–ગેરફાયદા વિશે માહિતી મેળવીએ...
* રેડિયેશનનો સાદો અર્થ થાય–મોજાનાં સ્વરૂપે ઉત્સર્જિત કિરણોનું વિસર્જન, રેડિયેશનમાં અલ્ફા, બીટા અને ગામા કણોનો સંપુટ હોય છે., કોઇ નકકર માધ્યમની મદદથી (પેપર, એલ્યુમિનિયમ અને લેડ ધાતુની પ્લેટમાંથી પસાર કરવામાં આવે છે) આ કિરણોને તેમાંથી પસાર કરવામાં આવે છે, જેને કારણે તેઓ જુદા જુદા આયનોમાં વિભાજીત થાય છે. આ પ્રક્રિયાને રેડિયેશન કહેવામાં આવે છે.,
* રેડિયેશનના બે પ્રકાર છે.
આયોનાઇઝિંગ, નોન–આયોનાઇઝિંગ, આયોનાઇઝિંગ એટલે કિરણસંપુટનું જુદા જુદા આયનોમાં વિભાજીત થઇ જવું જેને આપણે જોઇ શકતા નથી. યારે નોન–આયોનાઇઝિંગમાં કિરણસંપુટ વહેંચાતા નથી તેથી આપણે તેને જોઇ શકીએ છીએ. જેમ કે લાઇટ જોકે રેડિયેશન શબ્દ માત્ર આયોનાઇઝિંગ માટે જ વપરાય છે., બંને પ્રકારના રેડિયેશન સજીવો અને વાતાવરણ માટે નુકસાનદેહ સાબિત થઇ શકે છે. રિએકટર્સમાંથી થતું રેડિયેશન અતિ જોખમી હોય છે., વિલહેમ રોન્જન, મેરી કયુરી અને અર્નેસ્ટરુથરફોર્ડે રેડિયેશનને લગતી વિવિધ શોધોમાં મહત્યનો ભાગ ભજવ્યો હતો., રેડિયેશનનો ઉપયોગ મેડીકલ ક્ષેત્રે, કમ્યૂનિકેશન ક્ષેત્રે, એનર્જી ઉત્પાદન માટે કરવામાં આવે
|| ઇલેકટ્રોમેગ્નેટીક રેડિયેશન શું છે ? તેની કેટલીક ખાસીયતો ||
રેડિયેશન એટલે શું ? સામાન્ય રીતે ઉર્જા જ્યારે તરંગરૃપે અથવા કણરૃપે એક સ્થળેથી બીજા સ્થાને ટ્રાવેલીંગ કરે છે. તેને રેડિયેશન કહે છે. જાણે-અજાણ્યેજ આપણાં આસપાસનાં પર્યાવરણમાં રેડિયેશન હાજર જ હોય છે. મોબાઇલ ફોન જે રેડિયોફ્રિકવન્સી ઉપર કામ કરે છે તે 'માઇક્રોવેવ'વર્ગમાં આવે છે. માઇક્રોવેવ ઓવનમાં પણ આ વર્ગની જ ફ્રિકવન્સી વપરાય છે. મોબાઇલ ફોનનાં રેડિયો તરંગો એક પ્રકારના વીજચુંબકીય તરંગો છે. તેથી આવા રેડિયેશનને ઇલેક્ટ્રોમેગ્નેટીક રેડિયેશન પણ કહે છે. મોબાઇલ ફોન, વાય-ફાઇ સીસ્ટમ, કોર્ડલેસ ફોન, વગેરે આ પ્રકારનું રેડિયેશન ફેલાવે છે.
જો રેડિયેશન કોષોમાં શોષાય, તેમાં રહેલ રેણુઓનાં રાસાયણીક બંધારણમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરે અને તત્વો વચ્ચેના બોન્ડ તોડી નાખે તેવાં રેડિયેશનને ''આયોનાઇઝીંગ રેડિયેશન કહે છે.''
1. શરૃઆતનાં એનાલોગ મોબાઇલ ફોન, ૧.૩૦ વોટ પાવર વાપરતા હતા. આજના ડિજીટલ સેલ ફોન તેનાથી ઓછો (અડધો જ) ૦.૬૦ વોટ પાવર વાપરે છે. જેની સરખામણીમાં માઇક્રોવેવ ઓવનમાં ૬૦૦ થી ૧૧૦૦ વોટ પાવર વાપરવામાં આવે છે.
2. મોબાઇલ ફોન ૪ થી ૧૦ માઇક્રો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતાં ફોટોનનાં ઝુમખા જેટલી ઉર્જાથી સીગ્નલ મોકલે છે.
3. કોષમાં રહેલ ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અંદાજે ૧૦ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જરૃર પડે.
4. પાણીમાં રહેલા ઓક્સીજન-હાઇડ્રોજન બોન્ડ બનાવવા ૫.૨૦ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વપરાય છે. રેણુઓ વચ્ચેના બોન્ડ તોડવા માટે અંદાજે આનાથી વધારે ઉર્જાની જરૃર પડે છે.
5. ૨૦૧૧માં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (ૈંછઇભ) એ મોબાઇલ ફોનથી કેન્સર થવાની શક્યતા સ્વીકારીને તેને 'ગુ્રપ- ૨મ્' નામનાં ગુ્રપમાં સમાવેશ કર્યો છે. આ લીસ્ટમાં કેન્સર પેદા કરનાર પદાર્થની યાદી આપી છે.
6. માનવ શરીરનાં કોષો રેડિયેશન શોષે છે તેને 'સ્પેસીફીક એબ્સોર્બશન રેટ' (જીછઇ) વડે દર્શાવવામાં આવે છે જે પ્રતિગ્રામ-કીલોગ્રામ કદનાં કોષોનાં જથ્થાની સરખામણીમાં હોય છે. અમેરિકાના ફેડરલ કોમ્પ્યુનિકેશન કમિશને ૧.૬૦ ઉ/ ણય જીછઇને સલામત ગણાવ્યો છે. યુરોપમાં ૨ઉ/ ણયનો દર સલામત ગણવામાં આવે છે.
7. સતત રેડિયેશનનાં સમ્પર્કમાં આવતાં કોષોનું તાપમાન વધે છે.
Kanak Turakhia વિશ્વ જ્ઞાન
https://www.facebook.com/KANAK4088/?fref=n
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો