બુધવાર, 11 જાન્યુઆરી, 2017

સ્વામી વિવેકાનંદ વિશ્ર્વ ધમૅ પરીષદ


સ્વામી વિવેકાનન્દજીનું પહેલાનું નામ નરેન્દ્ર હતું. બી.એ. સુધી શિક્ષા પ્રાપ્ત કરી હતી. તે સમયે તેઓ ધાર્મિક કે આધ્યાત્મિક ન હતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસના સત્સંગથી ઈશ્વર વિશ્વાસી બન્યા. એમની જ શિક્ષાથી સંન્યાસ આશ્રમમાં પ્રવિષ્ટ થયા અને વિવેકાનન્દ નામથી દેશ-વિદેશમાં વિખ્યાત થયા.

સ્વામીજી ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં યાત્રા કરતા-કરતા ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેઓ કોઈની પાસે ભિક્ષા નહીં માગતા હતા. તેઓએ નિશ્ચય કર્યો હતો કે તેઓ કાંઈ પણ થાય પણ પાછળ ફરીને નહીં જોઇ. (એટલે કે નિશ્ચયમાં અડગ રહે), અને કોઈની સામે ભોજન માટે હાથ નહીં લંબાવે. જ્યારે કોઈ સ્વયં બોલાવીને ભોજન આપશે તો જ ભોજન ગ્રહણ કરીશ. આ કઠિન વ્રતનું પરિણામ એવું પણ આવ્યું કે કેટલીક વાર તો કેટલાય દિવસો સુધી ભોજન વિના જ વિતાવવા પડતા.

એક દિવસ સાંજે સ્વામીજી એક ઘોડાના તબેલા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં સામે જ એક વ્યક્તિ ઊભો હતો. સ્વામીજી એ બે દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નહીં હતો. ચહેરા ઉપર ભૂખની રેખાઓ સ્પષ્ટ ઉભરાયેલી હતી. ત્યાં ઊભેલા વ્યક્તિએ તેમને નમસ્કાર કર્યા અને કહ્યું - "સાધુ બાબા ! આજે ભોજન નહીં મળ્યું શું?" સ્વામીજી એ સરળતાથી ઉત્તર આપ્યો - "હા ભાઇ, પાછલા બે દિવસોથી મેં કઈ નથી ખાધુ."

ત્યારે તે વ્યક્તિ સ્વામીજીને પોતાની સાથે અંદર લઈ ગયો. ત્યાં તેણે પોતાના માટે બનાવેલી સૂકી રોટલીઓ શ્રદ્ધાથી પરોસી. સાથે મરચાંની ચટણી પણ આપી. બે દિવસ ભૂખ્યાં રહેવા બાદ સૂકી રોટલીઓ પણ ઘણી સ્વાદિષ્ટ લાગી. તે વ્યક્તિએ સૂકા ભોજન અને મરચાંની જલન શાંત કરવા માટે તડબૂચ અને તેનું પાણી ભેટ કર્યું. સ્વામીજી તૃપ્ત થઈ ગયા. આજ પ્રકારે સ્વામીજી મહારાષ્ટ્ર, ગુજરાત, મૈસૂર વગેરે પ્રદેશોની યાત્રા કરતા-કરતા મદ્રાસ પહોંચ્યા.

આ દિવસોમાં અમેરિકાના શિકાગો નગરમાં "વિશ્વ ધર્મ સંમેલન" ની ઘોષણા થઈ. જે સંમેલન ઈસાઈ પાદરિઓ તરફથી પ્રયોજિત હતું. વિશ્વના મુખ્ય ધર્મોના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મનું સ્વરૂપ બતાવવા એકત્ર થવા માંડ્યા હતા. સ્વામીજી ત્યાં હિંદુ ધર્મના સિદ્ધાંતોને પાશ્ચાત્ય જગતની સમ્મુખ રાખવા માટે તેમના શિષ્યોના આગ્રહથી જવાનું સ્વીકાર કર્યું. ૩૧ મે, ૧૮૯૩ ના દિને તેઓ અમેરિકા જવા રવાના થયા.

શિકાગો જઈને સ્વાજીએ અનેક પ્રકારની કઠિનતાઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેનાથી સ્વામીજી જરાયે વિચલિત થયા નહીં. તેમને ત્યાં કોઈનો પરિચય નહીં હતો. તો પણ તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે સંમેલન પ્રારંભ થવામાં હજી બે-ત્રણ મહિનાની વાર હતી. ત્રીજી કઠિનતા એ હતી કે સંસ્થાના પ્રતિનિધિ જ સંમેલનમાં ભાગ લઈ શકતા હતા. સ્વામીજી તો ત્યાં કોઈ સંસ્થાના પ્રતિનિધિ તરીકે નહીં ગયા હતા. વળી સ્વામીજી પોતાના ખર્ચ માટે જે રાશી લઇ ગયા હતા, તે પણ સમાપ્ત થવા આવી હતી. ખર્ચને ઓછામાં ઓછો કરવા માટે સ્વામીજીએ શિકાગો નગરની બહાર કોઈ ઉપનગરમાં રહેવાનો નિશ્ચય કર્યો.

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે દૃઢ સંકલ્પ કરી લે છે, ત્યારે પ્રભુ તરફથી સહાયતાના સાધન પણ આપોઆપ મળી જાય છે. વળી સ્વામીજી તો કટ્ટર પ્રભુ ભક્ત અને હઠ નિશ્ચયી હતા. એમના ભવ્ય સ્વરૂપ અને પ્રશાંત વ્યવહારને જોઇને એક સજ્જન પ્રભાવિત થયો અને તે સ્વામીજીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેણે સ્વામીજી સાથે હાવર્ડ વિશ્વવિદ્યાલયના એક પ્રાધ્યાપકની ભેટ કરાવી. (જે પ્રાધ્યાપક સંમેલનના પ્રમુખ અધિકારી હતા.) એ પ્રાધ્યાપકે વિશ્વાસ આપ્યો કે સંમેલનમાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે તેમને ભાગ લેવા અને ભાષણ આપવાની અનુમતિ અપાવી દેશે.

હવે પ્રશ્ન અર્થ કષ્ટનો હતો. શિકાગો નગરના એક હોટલમાં તેઓ થોડા સમય માટે રોકાવા ગયા. પરંતુ ત્યાં તેમને જગા નહીં મળી અને હોટલના માલિકે તેમનો તિરસ્કાર કરી હોટલમાંથી બહાર કાઠી નાંખ્યાં. બર્ફીલી રાત હતી. રોકાવા માટે કોઈ જગા નહીં મળવાથી તેઓ રેલવે સ્ટેશન ગયા અને ત્યાં બેંચ પર જ આખી રાત પસાર કરી.

બીજા દિવસે સવારે રસ્તાના કિનારે ભૂખ્યા-પ્યાસા સ્વામીજી બેઠા હતા. વ્યાકુળ હતા, પરંતુ પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા અને હિંમત નહીં હારી. ફરી પ્રભુએ કૃપા કરી. સામેના મકાનમાંથી એક મહિલાએ તેમને જોયા. તેણી સ્વામીજીની શાંત મુદ્રા અને ભવ્ય આકૃતિથી પ્રભાવિત થઈ. તેણીએ સ્વામીજીને બોલાવ્યા અને આખું વૃતાંત સાંભળ્યું. આવા શ્રેષ્ઠ કાર્યમાં સહયોગ આપવાની ભાવનાથી એ મહિલાએ સ્વામીજીના નિવાસ આદિનો પ્રબંધ કરી આપ્યો.

સંમેલન પ્રારંભ થયું. હાવર્ડ વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપકના પ્રયાસથી સ્વામીજીને કેવળ પાંચ મિનિટનો સમય આપવામાં આવ્યો. ભાષણનો પ્રારંભ સ્વામીજીએ "મારા ભાઇઓ તથા બહેનો" એવાં એકદમ નવા અને અનોખા સંબોધનથી કર્યું ત્યારે આખો સભા સ્થળ તાલીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યો. "Ladies and Gentlemen" સાંભળવાવાળી અમેરિકી જનતા પ્રતિ ભાઇ-બહેનનો પવિત્ર સંબંધ પેદા કરવાવાળા આ ભારતીય સંન્યાસીની ધ્વનિ આખા દેશમાં ગાજી ઊઠી. પાંચ મિનિટની જગ્યાએ એ દિવસ  દિવસે જનતાના પ્રબળ આગ્રહથી એક કલાકનો સમય આપવામાં આવ્યો. હવે તો સંમેલનમાં અને સંમેલનની બહાર સ્વામીજીના વ્યાખ્યાનોની ધૂમ મચી ગઈ. હિંદુ ધર્મની આ યુક્તિયુક્ત અને સુંદર વ્યાખ્યાથી અમેરિકી જનતાનો મંચ મુગ્ધ થઈ ગયો.

સ્વામીજી બે વર્ષ સુધી અમેરિકામાં અને બે વર્ષ સુધી યુરોપના દેશોમાં હિંદુ ધર્મના સાર્વભોમ અને શાસ્ત્ર આનંદદાયક સ્વરૂપના સંદેશની ધૂમ મચાવી અને આ બધા દેશોમાં સંસ્થાઓની સ્થાપના કરી ભારત પાછા ફર્યા.

સ્વામી વિવેકાનન્દજી જ્યારે પાછા આવ્યા, ત્યારે કલકત્તામાં જનતાએ ઘણા ઉત્સાહ અને જોશથી તેમનું સ્વાગત કર્યું. સ્વામીજીએ એ સભામાં આ ચિરસ્મરણીય શબ્દો કહ્યા - "मेने मोक्ष की प्राप्ति के लिये संन्यास नहीं लिया किन्तु मानव सेवा के लिये ही इसे ग्रहण किया है।"

સ્વામી વિવેકાનંદ ના પ્રેરક પ્રસંગો


(1)   ધર્મ નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે.

વિવેકાનંદ હિન્દુસ્તાનથી અમેરિકા જતા હતા. રામકૃષ્ણ પરમહંસનાં પત્ની શારદા માના આશીર્વાદ લેવા ગયા. એ સમયે રામકૃષ્મ પરમહંસ અવસાન પામ્યા હતા. શારદા મા રસોડામાં કામ કરી રહ્યાં હતાં. વિવેકાનંદજીએ આવીને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો હું અમેરિકા જઉં છું.’

શારદા માએ પૂછ્યું, ‘અમેરિકા જઇને શું કરશો?’

‘હું હિંદુ ધર્મનો સંદેશ પ્રસરાવીશ.’

શારદા માએ કોઇ પ્રતિભાવ ન આપ્યો. ચૂપ રહ્યાં. થોડી પળ પછી પોતાનું કામ કરતાં કરતાં બોલ્યાં, ‘પેલી શાક સુધારવાની છરી મને આપશો?’

વિવેકાનંદજીએ છરી ઉપાડીને શારદા માને આપી. શારદા માએ છરી આપતા વિવેકાનંદજીના હાથ પર એક નજર કરી. પછી વિવેકાનંદજીના હાથમાંથી છરી લેતાં બોલ્યાં, ‘જાઓ, મારા આશીર્વાદ છે તમને’.

હવે વિવેકાનંદજીથી ન રહેવાયું.

‘મા છરી ઉપાડવાને અને આશીર્વાદ આપવાને શો સંબંધ છે?’

શારદા માએ કહ્યું, ‘હું જોતી હતી કે તમે છરી કેવી રીતે ઉપાડીને મને આપો છો. સામાન્ય રીતે કોઇ છરી ઉપાડીને આપે ત્યારે હાથો તેના હાથમાં રાખે છે. પણ તમે છરી ઉપાડીને આપી ત્યારે હાથો મારી તરફ અને ધાર તમારા તરફ રાખીને છરી મને આપી. મને ખાતરી છે કે તમે ધર્મનો સંદેશ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડશો. કારણ કે ધર્મ કે પરમાત્મા નજીક કેવળ તેઓ જ રહી શકે છે જે દુ:ખ પોતાના માટે રાખે છે અને સુખ અને સુરક્ષા અન્યને આપે છે. જેમ તમે ધાર તમારી તરફ રાખી અને હાથો મને આપ્યો.’


(2)   એકવખત સ્વામી વિવેકાનંદ મુંબઇ-પુના રેલવેમાં પ્રથમ વર્ગમાં મુસાફરી કરી રહ્યાં હતાં. એ વખતે ડબામાં હાજર રહેલ એક અંગ્રેજ વિવેકાનંદ સાંભળે તેમ બોલતો હતોઃ હવે તો બાવાઓ પણ પ્રથમ વર્ગમાં મુસાફરી કરે છે, વગેરે વગેરે.
વચ્ચે લોનાવાલા સ્ટેશન આવતાં વિવેકાનંદને મળવા આવનાર એક ગૃહસ્થ સાથે પ્રભાવશાળી રીતે અંગ્રેજીમાં વાત કરતાં જોઇને પેલાં મુસાફરની આંખો ઉઘડી અને તેણે વિવેકાનંદની માફી માંગી.
તેમણે કહ્યું, ‘મને ખોટુ લાગ્યું નથી, કેમ કે દરેક માણસ સામા માણસની પરીક્ષા પોતાની બુધ્ધિ અનુસાર કરતો હોય છે.’

(3)    ... મરદ થાજે .....
નરેન્દ્રનાથમાં નેતૃત્વ જન્મજાત હતું અને નેતૃત્વ એટલે ત્યાગ। એ છ વર્ષ ના હતા ત્યારે એક દિવસ કોઈ નાના કુટુંબ ની સાથે આનંદ ના મેળામાં ગયા, ત્યાં શિવ ની પૂજા થાય છે,
ઉજાસ ઓછો થયે એ બે છોકરાઓ ઘેર પાછા વળતા હતા ત્યારે ટોળામાં બંને છુટા પડી ગયા , એ વેળા ખુબ જડપથી દોડતી એક ગાડી આવી રહી હતી, નરેનને હતું કે પેલો છોકરો પોતાની પાછળ છે એટલે ગાડીનો અવાજ સાંભળી એમણે પોતાની પાછળ નજર કરી, પેલો છોકરો રસ્તાની બરાબર વચે ભયથી ખોડાઈ રહ્યો હતો। આ જોઈ નરેન્દ્ર ઘભરાયા અને તે દોડ્યા અને તેને જમના હાથેથી તેને પકડી લગભગ ઘોડાની ખરી નીચેથી તેને ખેંચી પાડયો , આજુબાજુના લોકો આથી આશ્ચર્ય ચકિત થઇ ગયા , કોઈએ નરેનને થાબડ્યો તો કોઈએ આશીર્વાદ આપ્યા, ઘેર પહોચ્યા પછી એના માએ આ વાત સાંભળી ત્યારે એમની આંખમાં આસું આવી ગયા અને બોલ્યા : મરદ થાજે ,, મારા બેટા !!!.....

12મી જાન્યુઆરી, યુવા દિવસ


“ઉઠો, જગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

સ્વામી વિવેકાનંદ  

૧૨ મી જાન્યુઆરી એ સ્વામી વિવેકાનંદ  જન્મ જયંતીનો દિવસ.

૧૨ મી જાન્યુઆરી ,૧૮૬૩ નાં રોજ કલકત્તામાં એમનો જન્મ અને ૪થી જુલાઈ ,૧૯૦૨ ના રોજ બેલુર મઠ ખાતે એમણે સમાધી લઈને દેહ ત્યાગ કર્યો.

માત્ર ૩૯ વર્ષ જ આ પૃથ્વી ઉપર તેઓ રહ્યા પરંતુ એ ટૂંકા સમય ગાળામાં હિંદુ ધર્મ ,સમાજ સેવા અને દેશ માટે કેટલું બધું કાર્ય કરીને સ્વામીજી ગયા ! આ એક મોટું આશ્ચર્ય છે !

આત્મ વિશ્વાસ,જ્ઞાન અને વેધક વાણી થકી વિવેકાનંદે,

ધર્મ પરિષદ ગજાવીને ઘેલું કર્યું અમેરિકા અને વિશ્વને.

હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવ્યો જગમાં આ સ્વામીજીએ,

ટૂંકા જીવનમાં મહાન કાર્યો કરી નામ અમર કરી ગયા.  

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.

નરેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી..

નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.

ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત  અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

એમના ગુરૂ રામકૃષ્ણ પરમહંસના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો.તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાંવેદાંત,યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષ ચંદ્ર બોઝ ,અરવિંદ ઘોષ , રાધા કૃષ્ણન જેવા અનેક રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

positive attitude


30 ગોળીઓ
30 દિવસની શક્તિ માટે:
🌸〰〰〰🌸〰〰〰🌸
0⃣1⃣ ચિંતા કરવી છોડી દો – માનસિક શાંતિ હરી લે છે.
0⃣2⃣ ઈર્ષા ન કરો – સમય અને શક્તિનો વ્યય થાય છે.
0⃣3⃣તમારી મર્યાદાનો સ્વીકાર કરો – આપણે બધા જ મહાન નથી બની શકતા.
0⃣4⃣લોકોમાં વિશ્વાસ રાખો – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
0⃣5⃣પુસ્તક વાંચો – તમારી કલ્પના શક્તિ વધશે.
0⃣6⃣સારો શોખ કેળવો – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
0⃣7⃣થોડો સમય એકાંતમાં ગાળો – તમારું દુઃખ હળવું થશે.
0⃣8⃣એક અંતરંગ મિત્ર બનાવો – જે તમારા દુઃખમાં સહભાગી થશે.
0⃣9⃣ઈશ્વરમાં શ્રદ્ધા રાખો – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
1⃣0⃣સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
1⃣1⃣પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
1⃣2⃣વડિલોનો આદર કરો – એક દિવસ તમારો પણ આવશે.
1⃣3⃣ખુશ મિજાજ રહો – એને ગુમાવવો મોંઘો પડે છે.
1⃣4⃣પોતાની જાતને ઓળખો – એ તમારી અંદર છે.
1⃣5⃣સુખની પાછળ દોટ ન મૂકો – એ તમારી પાસે જ છે.
1⃣6⃣સમય ન વેડફો – મહામૂલી જણસ છે.
1⃣7⃣અંધકારથી નિરાશ ન થશો – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
1⃣8⃣દરેકને પ્રેમ કરો – તમને બમણો પ્રેમ મળશે.
1⃣9⃣શ્રદ્ધા રાખો – તમે બધું જ કરી શકો છો.
2⃣0⃣વર્તમાન ક્ષણનો આનંદ મેળવો – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
2⃣1⃣વ્યવહારુ બનો – સુખનો રાજમાર્ગ છે.
2⃣2⃣ગુસ્સો સંયમિત કરો – એ ભયાનક બને છે.
2⃣3⃣મૃદુભાષી બનો – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
2⃣4⃣ઊંચું વિચારો – ઉન્નતિના શિખરે લઈ જશે.
2⃣5⃣અથાક પરિશ્રમ કરો – મહાન બનવાનો કિમિયો છે.
2⃣6⃣સર્જનાત્મક બનો – મુખાકૃતિ સુંદર લાગશે.
2⃣7⃣હસતા રહો – પડકારનું તકમાં રૂપાંતર થશે.
2⃣8⃣તમારી ભાષા પર કાબૂ રાખો – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
2⃣9⃣ભય ન રાખો – ઈશ્વર હંમેશા સાથે જ છે.
3⃣0⃣રોજ ચિંતન કરો – આત્માનો ખોરાક છે.
🙏દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.🙏

રવિવાર, 4 સપ્ટેમ્બર, 2016

ગણેશ ચતૅૃથી :ગણપતિ આયો બાપા


वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : |

निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||

અર્થાત્: (જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારાં વિઘ્ન હરે.)

શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા માસની ચતુર્થીના દિવસથી અનંત ચૌદસ સુધી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવવામાં આવે છે. ગણેશ ઉત્સવ સાથે રાષ્ટ્ર એકતાનો મહાન ઉદ્દેશ્ય પણ જોડાયેલો હોવાથી મહારાષ્ટ્ર્માં રાષ્ટ્રીય પર્વ જેટલું જ મહાત્મ્ય ગણેશ ચતુર્થીનું છે. તેથી રાષ્ટ્રનાયક તરીકે પણ તેની આરાધના કરવામાં આવે છે. ગજાનનના આવિર્ભાવને સંદર્ભે અનેક કથાઓ પણ પ્રચલિત છે. ગણેશનું અનોખું પ્રતીકાત્મક સ્વરૃપ જ દિવ્ય સંદેશ આપનારું છે. ગણેશના આવિર્ભાવની ઘડીને બહુ હર્ષોલ્લાસ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ ૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત,તમિલ ભાષા,તેલુગુ ભાષા અને કન્નડ ભાષામાં ‘વિનાયક ચતુર્થી’ કે ‘વિનાયક ચવિથી’, કોંકણી ભાષામાં ‘વિનાયક ચવથ’ અને નેપાળીમાં ‘વિનાયક ચથા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુજરાતિ ભાષામા ‘ગણેશ ચોથ’ કહેવાય છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીનાં દિવસે પૂર્ણ થાય છે.

ગણેશ પૂજાનું મહત્વ :-

આપણે કોઈ પણ મંગલકાર્યની શરૂઆત વિનાયકને યાદ કરીને કરીએ છીએ. શ્રદ્ધા અને ભક્તિભાવથી તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલા તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનુ વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.

શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી ભલે કોઈ કામનાપૂર્તિ સ્ત્રી, પુત્ર, પૌત્ર, ઘન, સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ દુ:ખોના નિવારણ માટે હોય. અર્થાત જ્યારે ક્યારેક કોઈ વ્યક્તિને કોઈ અનિષ્ટની આશંકા હોય કે પછી તેને વિવિધ શારીરિક કે આર્થિક કષ્ટ ઉઠાવવા પડી રહ્યા હોય તો તેણે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કોઈ યોગ્ય અને વિદ્વાન બ્રાહ્મણના મદદથી શ્રીગણપતિ પ્રભુ અને શિવ પરિવારનુ વ્રત, આરાધના અને પૂજન કરવુ જોઈએ. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્‍નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્‍મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્‍ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે.

” देवा हो देवा गणपति देवा मंगलम ग़नेशम

विघ्न विनाशक जन सुख दायक मंगलम गणेशंम

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं

तू ही आदि तू ही हैं अंत

देवा महिमा तेरी हैं अनंत

देवा हो देवा गणपति देवा मंगलम गणेशं “

ગણેશજીના વિવિધ સ્વરૂપ :-

ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને ‘અષ્ટવિનાયક’ પણ કહે છે

વક્રતુંડ
એકદંત
મહોદર
ગજાનન
લંબોધર
વિકટ
વિધ્નરાજ
ધૂમ્રવર્ણ

ગણેશ જન્મની વિભિન્ન કથાઓ :-

શિવપુરાણની રુદ્રસંહિતાના ચોથા ખંડ અનુસાર ગણેશનું સર્જન પાર્વતીજીના ઉબટનમાંથી કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે ભગવાન શિવ સ્નાન માટે હિમાલયથી ભીમબલી નામની જગ્યાએ ગયા. પાર્વતીને સ્નાન કરવા જવું હતું અને બહાર દ્વારપાળ તરીકે કોઈને બેસાડવા માટે તેમણે પોતાના ઉબટનમાંથી બાળક ગણેશનું સર્જન કર્યું અને તેમાં પ્રાણ રેડયા. માતા પાર્વતીએ પુત્ર ગણેશને સૂચના આપી કે હું અંદર સ્નાન કરું છું તો કોઈને પ્રવેશવા ન દેશો ત્યારે થોડા સમય બાદ મહાદેવ આવ્યા, ત્યારે ગણેશજીએ શિવજીને રોક્યા.

શિવજીએ બહુ સમજાવવા છતાં માતૃઆજ્ઞાનું પાલન કરવા માટે મહાદેવને પ્રવેશ ન આપ્યો ત્યારે મહાદેવનું અપમાન શિવગણોથી સહન ન થયું અને શિવગણોએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું, પરંતુ બાળક ગણેશને હરાવી શકાય તેમ ન હતું તેથી ક્રોધે ભરાયેલા શિવજીએ તેનું મસ્તક ત્રિશૂલથી કાપી નાખ્યું. પરિણામ સ્વરૂપ પુત્રવધથી માતા પાર્વતી ક્રોધિત થયાં અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી તેમણે પ્રલય કરવાનું વિચારી લીધું ત્યારબાદ માતા જગદંબાની સ્તુતિ કરવામાં આવી અને તેને શાંત કરીને શિવજીએ ઉતર દિશામાંથી આવતા ગજનું માથું કાપીને ગણેશને ધડ પર મૂકીને તેના દેહમાં ફરી પ્રાણ ફૂંક્યા. તેથી તે ગજાનન કહેવાયા.

વરાહ પુરાણ અનુસાર સ્વયં શિવે પંચ તત્ત્વને મે


ગણેશનું સર્જન બહુ તન્મયતાથી કર્યું હતું. શિવજીએ ગણેશનું બહુ સુંદર અને આકર્ષક સર્જન કર્યું હતું, પરંતુ ગણેશનું અનુપમ સૌંદર્ય જોઈને દેવો પણ તેની ઇર્ષા કરવા લાગ્યા, કારણ કે માત્ર ગણેશ જ સમગ્ર દેવી-દેવતાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા તેથી દેવી-દેવતામાં ખળભળાટ મચી ગયો અને શિવજીએ આ ઉત્પાતને શાંત કરવા માટે તેમનું પેટ મોટું બનાવી દીધું અને ચહેરાનો આકાર પણ ગજ જેવો કરી દીધો.

અન્ય એવી પણ કથા પ્રચલિત છે કે પાર્વતીજીએ અને શિવજીએ દુર્વાના તણખલાથી તેનું સર્જન કરી તેની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. એક વાર માતા પાર્વતી અને મહાદેવ નર્મદા નદીના તટ પર વિહાર કરવાં ગયાં. નર્મદા નદીના સુંદર સ્થાન પર માતા પાર્વતીએ ચોપાટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે મહાદેવે કહ્યું, “આપણે રમીએ પણ આપણી હાર-જીતનો ફેંસલો કરવા માટે કોઈ સાક્ષી જોઈએને !”

ત્યારે પાર્વતીજીએ ઘાસના તણખલામાંથી એક બાળકની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને તેમણે કહ્યું કે “બેટા, અમે ચોપાટ રમીશું, પરંતુ હાર-જીતનો સાક્ષી તું રહીશ. તારે નિર્ણય કરવાનો કે કોણ હાર્યું અને કોણ જીત્યું.” આ રીતે ગણેશનું સર્જન માતા પાર્વતીએ કર્યું હોવાથી તે શિવ અને પાર્વતીના પુત્ર કહેવાયા. સૌ પ્રથમ વાર તેનું સર્જન દુર્વાના તણખલામાંથી કરવામાં આવ્યું હતું તેથી તેમને દુર્વા અધિકતમ પ્રિય છે અને ગણેશ પૂજામાં દુર્વા અવશ્ય હોય છે.
ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તેનુ કામ કોઈપણ વિઘ્ન વગર પાર પડશે. તેથી ગણપતિને વિધ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીને તમે ધ્યાનથી જોશો તો તમને તેમના વિવિધ અંગો કંઈક ઉપદેશ આપે છે.

” जय गणेश जय गणेश जय गणेश देवा

माता तेरी पार्वती पिता महादेव

एक दन्त दयावंत,चार भुजा धारी

माथे पर सिंदूर सोहे, मुसे की सवारी

जय गणेश जय गणेश जय गणेश देवा …”

ગણેશજીનું સ્વરૂપ અને સંદેશ :-

ગણેશજીનુ મોટુ માથું કહે છે કે, આપણે સારા વિચારો કરીએ, વધારે શીખીએ, વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. તેમના મસ્‍તક વિશાળતા સુચવે છે માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.
ગણેશજીની નાનકડી આંખો કહે છે કે આપણે ચારેબાજુ દિશાહિન ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ. દરેક કામ ઝીણવટથી કરીએ અને બાજ જેવી નજર રાખીએ, જેથી સમય રહેતા આવનાર સંકટોને પહેલાથી જ જોઈ શકીએ.
ગણેશજીના મોટા કાન કહે છે કે આપણે વધુ સાંભળીએ અને નાનું મોંઢુ કહે છે કે આપણે ઓછું બોલીએ. તેમનો સંદેશ છે કે એકગણું બોલીએ અને ત્રણગણું સાંભળીએ.
ગણપતિજીનુ લાંબું નાક સંદેશ આપે છે કે આપણી આસપાસના વાતાવરણને સૂંધી પરિસ્થિતિને ઓળખી લઈએ. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે
ગણેશજીનું દુંદાળુ પેટ સંદેશ આપે છે કે આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આણીએ અને નિષ્ફળતામાં હતાશ ન અનુભવીએ. તેમજ તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે.
ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે.


ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે.



આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે. આજના દિવસે આવા સર્પણ સંપૂર્ણ ગજાનનનું પૂજન કરી આપણા જીવનને સાર્થક કરીએ.

” गाईये गणपति जगवन्दन, શંकर सुवन भवानी नंदन |

सिध्धि सदन गजवदन विनायक, कृपा सिंधु सुंदर सब लायक |

गाईये गणपति जगवन्दन…….

मोदक प्रिय मुद मंगल दाता, विद्या वारिधि बुध्धि विधाता |

गाईये गणपति जगवन्दन…….”


ગણેશજીના પ્રિય ફૂલ :-

ગણેશજીને તુલસી છોડીને બધા જ પ્રકારના પત્ર-પુષ્પ પ્રિય છે. ગણપતિજીને ધરો વધારે પ્રિય છે. તેથી સફેદ અને લીલી ધરો તેમને ચઢાવવી જોઈએ. ધરોની ડાળીમાં ત્રણ કે પાંચ પત્તી હોવી જોઈએ. ગણેશજી પર તુલસી ક્યારેય ન ચડાવશો.

પદ્મ પુરાણ આચાર રત્નમાં લખ્યું છે કે, ‘न तुलस्या गणाधिपम |’ એટલે કે તુલસી વડે ગણેશજીની પૂજા ક્યારેય પણ ન કરવી. કાર્તિક માહાત્મ્યમાં પણ કહ્યું છે કે, ‘ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દૂર્વાયા’ એટલે કે, ગણેશજીની તુલસી પત્ર અને દુર્ગા માતાની ધરો વડે ક્યારેય પણ પૂજા ન કરવી. ભગવાન ગણેશને જાસુદનું લાલ ફૂલ ખાસ પ્રિય હોય છે. આ સિવાય ચાંદની, ચમેલી અને પારિજાતના ફૂલોની માળા બનાવીને પહેરવાથી પણ ગણેશજી પ્રસન્ન થાય છે.

” जय गणेश जय गणेश जय गणेश देवा …

पान चढ़े फूल चढ़े, और चढ़े मेवा

लड्डु का भोग लगे, संत करे सेवा

जय गणेश जय गणेश जय गणेश देवा …”

રાષ્ટ્રીય એકતા અને ગણેશ ઉત્સવ

આઝાદી પહેલાં રાષ્ટ્રને સંગઠિત કરવાનું પાયાનું કામ ગણેશ મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું. પેશવાએ ગણેશોત્સવની શરૂઆત કરી. પૂનામાં કસ્બા ગણપતિ નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપના શિવાજી મહારાજની માતા જીજાબાઈએ કરી.લોકમાન્ય તિલકે ગણેશ ઉત્સવને એક નવું જ સ્વરૂપ આપ્યું જેનાથી ગણેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બની ગયા. લોક માન્યના પ્રયાસ પહેલાં ગણેશ પૂજા પરિવાર સુધી સીમિત હતી, પરંતુ તેને સાર્વજનિક મહોત્સવ બનાવાતાં તે રાષ્ટ્રીય એકતાનું માધ્યમ બની ગયો. લોકમાન્ય તિલકે ૧૮૯૩માં ગણેશ ઉત્સવને સાર્વજનિક બનાવવાનાં બીજ રોપ્યાં.

આપણા દેશમાં ગણેશ ચતુર્થીનો તહેવાર લોકો ધામધુમથી ઉજવે છે, ખાસ કરીને મુંબઇ, મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખુબ મહાત્મ્ય છે.મુંબઇમાં તો આ તહેવાર દરમ્યાન લગભગ દરેક શેરી અને મહોલ્લામાં નાની-મોટી અનેક ગણપતિજીની મૂર્તિઓ પધરાવવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકો તો પોતાના ઘરમાં પણ ગણપતિજીની મૂર્તિઓ પધરાવતા હોય છે, જેવી જેની શ્રદ્ધા તે પ્રમાણે મૂર્તિઓ પોતાના ઘરે રાખતા હોય છે અને અનંત ચૌદશ પહેલા દરીયામાં પધરાવી દે છે. અને હવે તો સમગ્ર ભારતમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ દિવસે ‘ગણપતિ બાપા મોરયા’ ના અવાજો ઠેર ઠેર સંભળાતા હોય છે. મોરયા એટલે નમસ્કાર. આમ, ગણેશોત્સવ એ આપણા દેશની ભાવાત્મક એકતાનું પ્રતિક છે.

આવા સુખ કરતા, દુ:ખ હરતા, વિધ્ન વિનાયક ગણપતિ દેવને કોટિ કોટિ વંદન !!!

” गणपति गणेश को, कोटे जो क्लेश को,

मेरो प्रणाम है जी, मेरो प्रणाम है |



14 મી સપ્ટેમ્બર હિન્દી દીવસ


” हिंद देश के निवासी सभी जन एक है

रंग, रूप, वेश, भाषा चाहे अनेक है |

धर्म है अनेक जिनका, सार वही एक है

पंथ हे निराले, सबकी मंजिल तो एक है | “

ભારતમાં વિવિધતામાં એકતા છે. આખાયે ભારત દેશમાં દરેક રાજ્યની બોલી, પહેરવેશ, રીત-રીવાજો, ધર્મ ભલે અલગ અલગ હોય, પરંતુ બધી વિવિધતામાં પણ ભારતવાસી તરીકેની એકતા રહેલી છે. રાષ્ટ્રના ઉત્થાન મટે સૌ હંમેશા તત્પર રહે છે. દેશમાં જયારે કોઈ આફત આવી પડે છે, ત્યારે બધા ભારતવાસીઓની આ એકતા પ્રદર્શિત થાય છે. આ રાષ્ટ્રની એકતાને લીધે જ આજે ભારત દેશ સ્વતંત્ર છે. અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવવા અને અંગ્રેજોને દેશનિકાલ કરવા ભારતના તમામ રાજ્યોના લોકોએ પોતાના જાતિ-ધર્મના ભેદને ભૂલીને ફક્ત ભારતવાસી હોવાનું પ્રમાણ બતાવ્યું હતું અને દેશને આઝાદી અપાવી હતી. ત્યારે સૌ કહી ઉઠ્યા હતા….

” भारत वर्ष  हमारा  है यह  भारत वर्ष  हमारा

हमको प्राणों से प्यारा है यह भारत वर्ष हमारा

तन मन धन प्राण चढ़ायेंगे, हम उनका मान बढायेंगे

जगका है सौभाग्य सितारा……..

    है यह भारत वर्ष हमारा है यह भारत वर्ष हमारा | “

_ प्रदीपजी

14 સપ્ટેમ્બર – હિન્દી દિન :-


14 મી સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભા 14 મી સપ્ટેમ્બર 1949 ના રોજ યુનિયન સત્તાવાર ભાષા તરીકે દેવનાગરી લીપીમાં હિન્દી ભાષાને રાષ્ટ્ર ભાષા તરીકે અપનાવી હતી. અને ત્યારથી આ દિવસ હિન્દી દિન એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે.

જેવી રીતે આપણને ભારત દેશનું ગૌરવ છે, રાષ્ટ્ર ધ્વજનું ગૌરવ છે તેવી જ રીતે આપણને રાષ્ટ્ર ભાષા હિન્દીનું ગૌરવ હોવું જોઈએ. ભારતના દરેક રાજ્યોની બોલી અલગ અલગ છે, પરંતુ આપણી રાષ્ટ્ર ભાષા એક હિન્દી જ છે. આપણી રાષ્ટ્ર ભાષા હિન્દીનું સન્માન એ દરેક ભારતવાસી માટે ગૌરવસમાન છે. તો આ રાષ્ટ્રીય તહેવાર – હિન્દી દિનની ઊજવણી પણ આપણે અન્ય તહેવારોની જેમ હર્ષોલ્લાસથી કરવી જોઈએ.

” आजका दिन ये हिन्दी दिन,  हिन्दी समजो और समजाओ

खुद पढ़ो, दूसरो को पढ़ाओ,  और हिन्दी  को अपनाओ

ये देश हमारा हिन्दुस्तान  है,  और हम हिन्दुस्तानी है | “

હિન્દી ભાષા, ભારતના અગ્રણી રાજ્યો (પ્રાંતો) બોલાય છે અને સમજાય છે. ભારતના બંધારણ દ્વારા હિન્દી મુખ્ય ભાષા હોવાની વિશિષ્ટતા ધરાવે છે. હિન્દી ભારતમાં લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. હિન્દી ભારતમાં એક અનમોલ સંપર્ક ભાષાના રૂપમાં કાર્ય કરે છે તેમજ વ્યાકરણની દ્રષ્ટિએ પણ તે એક ઉન્નત ભાષા છે. હિન્દી ભાષાનો અભ્યાસ વિશ્વમાં અનેક યુનિવર્સિટીઓમાં અત્યંત રસ સાથે કરવામાં આવે છે. અનેક રાજકારણીઓ, કે જેમણે ભારતની સ્વતંત્રતા માટે લડાઈ કરી હતી, વાસ્તવમાં તેઓ હિન્દીને રાષ્ટ્ર ભાષા બનાવવા ઈચ્છતા હતા. હિન્દી ભાષાનું ક્ષેત્ર અન્ય ભારતીય ભાષાઓની તુલનામાં અધિક વ્યાપક છે. મધુર હિન્દી ભાષા આસાનીથી બોલી શકાય છે અને સમજી શકાય છે. વિશ્વમાં ચાઇનીઝ અને અંગ્રેજી પછી હિન્દી બોલવાવાળાઓની સંખ્યા વધારે છે. તેમજ હિન્દી ભાષા ભારતીયતાનું એક પ્રતિક છે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન હિન્દી એક મહત્વનું શસ્ત્ર હતું. હિન્દી વિવિધતામાં એકતાનું પ્રતીક છે.હિન્દી રાષ્ટ્રીય ચેતનાની વાહક રહી છે તેમજ ભારત દેશની આત્મા છે. હિન્દી, ભારતની અખંડિતતા ઓળખ છે. હિન્દીએ દેશની સભ્યતા, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવામાં પ્રમુખ ભૂમિકા ભજવી છે. ખરેખર, બધી જ ભારતીય ભાષાઓમાં હિન્દી પ્રમુખ ભાષા છે.

હિન્દી ભાષાના મહત્વને આગળના વર્ષોમાં પણ આ જ રીતે જાળવી રાખવું એ ખૂબ જ જરૂરી છે. અને આ હિન્દી ભાષાના ગૌરવને જાળવી રાખવાનું કામ કેવળ યુવાનો જ કરી શકે. કારણ કે તેઓ દેશના વિકાસનો આધારસ્તંભ છે, ભવિષ્યના કિરતાર છે !! તેથી કહી શકાય કે


” तारों के बिना कभी विद्युत संचार नहीं होता

रेखाओ के बिना चित्र कभी तैयार नहीं होता |

देश के भावि कर्णधारों ! जरा सोचो…………….

संयमी नौजवान के बिना देश का विकास नहीं होता |”

આઝાદી પછી બહુમતીથી હિન્દી ભાષાને આપણી રાષ્ટ્ર ભાષા તરીકે સ્વીકારવામાં આવી છે, પરંતુ હાલના સમયમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવથી હિન્દી ભાષાનું મહત્વ ઓછું થતું જાય છે. ઘણા લોકો હિન્દી દિન ક્યારે આવે છે તે પણ ભૂલતા જાય છે ! હિન્દી ભાષા સૌ કોઈ જાણે છે, પરંતુ તેના મહત્વને સ્વીકારનારો વર્ગ ઓછો થતો જાય છે. આપણી રાષ્ટ્ર ભાષાનું ગૌરવ એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. આ ગૌરવને જાળવવા સૌએ જાગૃત થવાની જરૂર છે. કોઈ એક-બે વ્યક્તિના વિચારોથી આ સન્માન જળવાશે નહિ, પરંતુ દેશના તમામ લોકોએ સાથે મળી હિન્દી ભાષાને અને હિન્દી દિનને સન્માન આપવું જોઈએ.

” બની જાય કેડી નવી એક આખી,

છૂટક જો પડેલા પરોવાય પગલાં.”

શનિવાર, 3 સપ્ટેમ્બર, 2016

શિષ્યની કર્તવ્યનિષ્ઠા


એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.’ સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા.

ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા .

એક એવો શિષ્ય એકલવ્ય કે, જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો.

તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો. અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું.

આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ-શિષ્યો અમર થઈ ગયા છે. ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

આ મહાન ગુરુ-શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ, દ્રોણાચાર્ય-અર્જુન, અતિ વિદ્વાન ચાણકય-ચંદ્રગુપ્ત. સાંદિપની, દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો. આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ.

” શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે,

જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે.”

_સુફિન