શુક્રવાર, 8 એપ્રિલ, 2016

Suvichar-3@


મને ગમ્યું - તમને પણ કદાચ ગમશે...........

            💢

હોશીયાર માણસથી ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ હોશીયાર થાય તેવુ જરૂર બને છે.

             💢

પરિસ્થિતિ આપણને સાચવી લે તે આપણું નસીબ, પરિસ્થિતિને આપણે સાચવી લઈએ તે આપણી સમજણ..

               💢

તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે , બાકી મારે તો શૂન્યથી પણ ઓછા અંતરે આવવું છે. !!!

              💢

વિધાતા પણ કંઇક એવી જ રમતો કરે છે ક્યાંક અપેક્ષા જગાડે અને તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                

                 💢

ગણો તો હું અસંખ્ય છું, ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું, પરખો તો નિર્ગુણ છું.!!

             💢

આખો સાગર નાનો લાગે જ્યારે "મ" ને કાનો લાગે...

             💢

તું "ખૂદ" માં લખીજો ફકત એક કાનો......
પછી તું ખરેખર "ખુદા" થઇ જવાનો.....

           💢

ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે....

           💢

નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે...!!!

            💢

ખોટી અપેક્ષા માં જ હારી જવાતુ હોય છે નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?

               💢

એક પરબમાં ખારૂં પાણી, આંખો એનું નામ....

               💢

રોજ પિરસતી કંઈક વ્યથાઓ, દાતાઓ બેનામ..

               💢

માન્યુ કે એટલી સરળ આ વાત નથી, પણ
અંત વગર નવી શરૂઆત નથી. બને એવું કે શબ્દોથી, કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!

               💢

આન્ગણે આવી ચકલીએ પુછયુ આ બારણુ પાછુ ઝાડ ના થાય.....???

               💢

સુખ એટલે નહીં ધારેલી , નહીં માગેલી અને છતાં ...ખૂ......બ ઝંખેલી કોઈ કીમતી પળ...

               💢

ધર્મ એટલે શું ? ધર્મ ની સૌથી સરળ વ્યાખ્યા ...
કોઈ ના પણ આત્માને તમારા કારણે દુ:ખ ના
પહોચે એની 'તકેદારી' એટલે ધર્મ...

               💢

સારું હ્દય અને સારો સ્વભાવ બંને જરુરી છે.
સારા હદય થી કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે સંબંધો જીવનભર ટકે છે.

               💢

અભાવ માં રહેવાના આપણા સ્વભાવને લીધે જે મળ્યું છે એનું સુખ ટકતું નથી ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.

               💢

રોટલો કેમ રળવો તે નહિ પણ દરેક કોળિયાને મીઠો કેવી રીતે બનાવવો તેનું નામ કેળવણી...

               💢

મજાક મસ્તી તો જીવનમાં ઓક્સિજન નું કામ કરે છેે. બાકી તો માણસ પળે પળ ગુંગળાઇ ને જ મરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો