ગુરુવાર, 10 માર્ચ, 2016

સામાજિક વિજ્ઞાન ઘો. 7


ગુજરાત ના ઇતિહાસ વિશે...
રાજા વનરાજ ચાવડા જયશિખરી ના પુત્ર હતાં. વનરાજ ના મિત્ર અણહિલ ના નામ પર થી અણહિલપુર પાટણ નામ રખાયુ છે.અને વનરાજ ના સેનાપતી ચાંપરાજ ના નામ પરથી ચાંપાનેર નામ રખાયુ છે.
ચાવડાવંશનો સમયગાળો:ઇ.સ.૭૪૬ થી ૯૪૨
ચાવડાવંશ ના રાજાઓ: વનરાજ,યોગરાજ,ક્ષેમરાજ,ભુવડ,વૈરસિંહ,રત્નાદિત્ય,સામંતસિંહ(છેલ્લો રાજા)
સોલંકી રાજાઓ..
સિધ્ધરાજ જયસિંહ: સોલંકીવંશ નો પ્રતાપી રાજા, માળવા જીત્યા બાદ ‘અવંતીનાથ’ નુ બિરૂદ ધારણ કર્યુ. જુનાગઢ જીત્યા બાદ ‘જયસિંહ’ નુ બિરૂદ ધારણ કર્યુ.
સિધ્ધહેમ શબ્દાનુશાશન ગ્રંથ લખાવ્યો (હેમચંદ્રાચાર્ય પાસે)
સિધ્ધપુર ના રુદ્રમહાલય,પાટણ નુ સહસ્ત્રલીંગ તળાવ, ધોળકા નુ મલાવ તળાવ, વગેરે ના બાંધકામો મા સિધ્ધરાજ નો મહ્ત્વ નો ભાગ છે.
સિધ્ધરાજ ની માતા મિનળદેવી એ સોમનાથ જતા યાત્રીઓ માટે નો કર નાબુદ કરાવ્યો. અને રાણી ઉદયમતી એ રાણકીવાવ પણ બંધાવી.
રાજાઓ: મુળરાજ,ચામુંડરાજ,ભિમદેવપહેલો,કર્ણદેવ,સિધ્ધરાજ,કુમારદેવ,અજયપાળ,ત્રિભુવનપાળ
સ્વામી દયાનંદ સરસ્વતી: જન્મ- ટંકારા (મોરબી પાસે)
સ્વામીજી એ ૧૮૭૫ મા આર્યસમાજ બનાવ્યો
કાંગડીગુરુકુળ ની સ્થાપના કરી.
સત્યાર્થપ્રકાશ નામે ગ્રંથ લખ્યો.
મુળનામ: મુળશંકર કરશનજી ત્રવાડી.
પંડીત રવિશંકર મહારાજ
તેમનો જન્મ રઢુ ગામે થયો હતો.
પિતા નુ  નામ શિવરામ વ્યાસ હતુ.
કાળાકાયદા નો વિરોધ કર્યો અને આઝાદી ની લડત વખતે હિંદસ્વરાજ પુસ્તક ઘેર ઘેર વહેતુ કર્યુ, ગુજરાત રાજ્ય નુ ઉદઘાટન તેમના જસ્તે થયુ હતુ. ડાંડીકુચ વખતે તેઓ જે-તે સ્થળે વહેલા પહોચીં ને બધાની સેવા કરતા.
નાનાભાઇ ભટ્ટ: કેળવણીકાર હતા
દક્ષિણામુર્તી શિક્ષણ સંસ્થા ની સ્થાપના કરી.
૧૮૫૭ થી ગુજરાત મા સ્વતંત્ર્ય સંગ્રામો શરુ થયા હતા
ગુજરાત માં ૧૯૧૭ માં ખેડાસત્યાગ્રહ શરુ થયો. જે ગુજરાત નો સૌ પ્રથમ સંગ્રામ હતો.
તેમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ અગ્રણી હતા. આ સત્યાગ્રહ ખેડુતો નો પાક નિષફ્ળ ગયો હતો ત્યારે પણ અંગ્રેજો એ કરવેરા માફ નહોતા કર્યા એ માટે  થયો .
આ સત્યાગ્રહ વખતે મોહનલાલ પંડયા ને ડુંગળીચોર નુ બિરુદ્દ મળ્યુ હતુ.
ગુજરાત મા ૧૯૨૩ મા બોરસદ સત્યાગ્રહ થયો.
બોરસદ મા બહારવટીયાઓ નો ત્રાસ વધવાથી અંગ્રજ સરકારે વધારે પોલીસ ની વ્યવસ્થા કરી આપી પણ એ વધારા ની પોલીસ નો ખર્ચ ત્યાના લોકો ના માથે મુક્યો જીથી લોકો મા રોષ ફેલાણો અને સત્યાગ્રહ શરુ થયો.(અંદાજે અઢી રુપિયા કર લગાડ્યો હતો)
આ સત્યાગ્રહ ની આગેવાની સરદાર વલ્લભભાઇ પટેલે લીધી હતી.
સત્યાગ્રહના ૩૮ મા દિવસે અંગ્રજ સરકારે નમતુ જોખ્યુ અને સત્યાગ્રહ સફળ રહ્યો.
બારડોલી સત્યાગ્રહ
ગુજરાત મા ૧૯૨૮ મા ખેડુતો પર ૨૨% કર વધારી દેવામાં આવ્યો જેથી લોકો મા સરકાર પ્રત્યે રોષ ફેલાણો અને લોકોએ સરદાર ની આ સત્યાગ્રહ ની આગેવાની લેવા માટે આમંત્રણ આપ્યુ. અને વલ્લ્ભભાઇ એ નેતૃત્વ સ્વિકાર્યુ. સરદાર ની સાથે સાથે જુગતરામ દવે અને રવિશંકરમહારાજ પણ આ સ્ત્યાગ્રહ માં જોડાયા. સત્યાગ્રહ સફળ રહ્યો અને વલ્લ્ભ્ભાઇ ને “સરદાર” નુ બિરૂદ મળ્યુ.ત્યારે સરદારે બારડોલી માં “સ્વરાજ આશ્રમ” ની સ્થાપના કરી.
દાંડીકુચ.(૧૨ માર્ચ ૧૯૩૦):
૧૨ માર્ચ ૧૯૩૦ થી અમદાવાદ ના સાબરમતી આશ્રમ થી શરુ થયેલ દાંડીકુચ એક ઐતિહાસિક લડત હતી. કુલ ૩૬૦ કી.મી. નુ અંતર બધા જ સત્યાગ્રહીઓએ ૨૪ દિવસ માં કાપ્યુ હતુ. અને પાંચમી એપ્રીલે દાંડી પહોચ્યા હતા અને ૬ એપ્રીલે બાપુએ મીઠા નો કાયદાનો ભંગ કર્યો હતો.કુલ ૭૬ સાથીદારો સાથે આ કુચ થઇ હતી.
ધરાસણા સત્યાગ્રહ : ગાંધીજી અને અબ્બાસ તૈયબજી જેવા મોટ નેતાઓ ની ધરપકડ થતા સરોજીની નાયડુ એ આ સત્યાગ્રહ ની આગેવાની લીધી હતી. ૨૨ મે ના દીવસે શરુ આ લડત મા ખાન અબ્દુલગફાર ખાને અહિંસક લડત કરી જેથી તેઓ “સરહદ ના ગાંધી” તરીકે ઓળખાયા.

હિન્દછોડો ચળવળ: ૯-૮-૧૯૪૨ ના રોજ મોટા મોટા નેતાઓ ની ધરપકડ થતા વિદ્યાર્થીઓ એ હડતાળો પાડી અને મિલમજુરો પણ ૧૨૦ દીવસ ની હડતાળ પર ઉતરી ગયા.આ જ સમયગાળા માં ઓગસ્ટ મહિના માં ખડિયા માં સરધસ નિકલ્યુ અને તેમા ઉમાકાંતકડીયા નામનો યુવા મૃત્યુ પામ્યો. ત્યારબાદ ગુજરાત કોલેજ ના મેદાન મા અંગ્રેજો સામે વિરોધપ્રદર્શણ માં વિનોદકીનારીવાલા નામ નો યુવાન પણ શહીદ થયો.
પુર્ણિમાબેન પકવાસા: સાપુતારા માં “ઋતુંભરા” વિદ્યાપીઠ ના સ્થાપક અને હરિજનવાસ માં બાળકો ને શિક્ષણ આપનાર,”ડાંગ ની દીદી” તરેકે પ્રખ્યાત પુર્ણિમાબેન પકવાસા એક કુશળ સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ એ કસ્તુરબાને પણ ભણાવેલા.
ચરોતર ના નરસિંહભાઇ પટેલ : નરસિંહભાઇ એ બંગાળી પુસ્તિકા “મુક્તિ કૌન પથેર” નો ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તક મા બોમ્બ બનાવવાની પધ્ધતી હતી.
મુદ્દુલાબેન સારાભાઇ: વિદેશીકાપડ નો વિરોધ તથા દારુબંધી ના હિમાયતી  હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો